SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : ઉત્તરપક્ષ ઃ ના. જ્યાં કર્મપ્રત્યય- દ્વિતીયાનો સમભિવ્યાહાર નથી, તેવા ત્યાળ:, THનમ્ વિ. સ્થળોએ ફળવિશેષાવચ્છિન્નવ્યાપારમાં જ અનાદિતાત્પર્ય મનાય છે, કેવળ વ્યાપારમાં નહીં. વિવેચન : (૧) (૨) P. અને જે અર્થમાં અનાદિતાત્પર્ય હોય, તે અર્થમાં જ વિદ્વાનો સ્વારસિક પ્રયોગ કરે છે એટલે જ ત્યાગના અર્થમાં મનમ્ પદનો પ્રયોગ, વિદ્વાનો કરતાં નથી.ર ઉત્તરપક્ષ કહે છે કે ધાતુની શક્તિ તો વ્યાપારમાં જ છે. ફળ તો દ્વિતીયાથી જ જણાય છે. જ્યાં દ્વિતીયા નથી તેવા ત્યઽતિ, ઋતિ વિ. સ્થળોએ સમાનાકારક બોધની આપત્તિના વારણ માટે, તેવા (દ્વિતીયા રહિત) સ્થળોએ ધાતુનું અનાદિ તાત્પર્ય (નિરુઢલક્ષણા) ફળવિશેષાવચ્છિન્ન વ્યાપારમાં માની લેવાનું છે. અર્થાત્ મ્ નું અનાદિ તાત્પર્ય સંયોગજનક સ્પન્દમાં, ત્યન્ નું અનાદિ તાત્પર્ય વિભાગજનક સ્પન્દમાં માની લેવાનું. એટલે તેવા સ્થળે સમાન બોધ નહીં થાય. પૂર્વપક્ષીએ ત્યાગના અર્થમાં મનમ્ પદના પ્રયોગની આપત્તિ આપેલી, તેના વારણ માટે કહે છે કે જે અર્થમાં અનાદિ તાત્પર્ય હોય તે અર્થમાં જ સ્વારસિક પ્રયોગ થાય છે. એટલે ચત્ – ગમ્ ધાતુની શક્તિ સ્પન્દ્રમાં જ હોવા છતાં, અનાદિતાત્પર્ય વિભાગજનકસ્પન્દ અને સંયોગજનક સ્પન્દમાં હોવાથી, એક જ અર્થના તાત્પર્યથી વિદ્વાનો દ્વારા બંનેનો સ્વારસિક પ્રયોગ થવાની આપત્તિ પણ નહીં રહે. જેમ ‘છૌપીન’ પદની શક્તિ પાપમાં હોવા છતાં તેનું અનાદિતાત્પર્ય લંગોટમાં હોવાથી, લંગોટ અર્થમાં જ ‘જૌપીન’ પદનો પ્રયોગ થાય છે, તેમ ત્યઙ્ગ-TMમ્ ની શક્તિ સ્પન્દમાં જ હોવા છતાં, અનુક્રમે વિભાગસંયોગજનક સ્પન્દમાં જ અનાદિ-તાત્પર્ય હોવાથી તે-તે અર્થમાં જ તેમનો પ્રયોગ થશે. एवं त्यजिगमिप्रभृतिसमभिव्याहतकर्मप्रत्ययस्य फलविशेषे एव नियतं तादृशं तात्पर्यमिति न विभागादितात्पर्येण 'ग्रामं गच्छति' इत्यादिप्रयोगः । વ્યુત્પત્તિવાદ * ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy