________________
°°°.
अस्तु वा वृत्त्यनियामकोपि संबन्धोऽभावप्रतियोगितावच्छेदकस्तथापि निरूपितत्वसंबन्धावच्छिन्नप्रतियोगिताकस्य विषयिताविशेषनिष्ठाकाशाद्यभावस्य भानोपगमो न संभवति तथा सति 'आकाशं पश्यति चैत्रः' इत्याकारकवाक्यजन्यबोधदशायाम् आकाशं न पश्यति चैत्रः इत्यादिवाक्याच्छाब्दबोधप्रसङ्गात् ।
વળી, વૃર્ત્યનિયામક સંબંધને અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક માની લઈએ, તો પણ આકાશનો નિરુપિતત્વસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક અભાવ વિષયિતા વિશેષમાં જણાઈ શકે નહીં. કારણ કે તેમ કરવા જતાં, ‘ગાાં પશ્યતિ ચૈત્ર:' એવા વાક્યથી જનિત બોધ કાળે પણ ‘બાળાશં ન પતિ ચૈત્ર' એવા વાક્યથી શાબ્દબોધ થઈ શકવાની આપત્તિ આવશે.
-
વિવેચન : ચૈત્ર જ્યારે દૂર રહેલા પટને જોઈ રહ્યો છે ત્યારે કોઈને ભ્રમ થાય છે કે તે આકાશને જુએ છે. અને તે ‘સાશં પતિ ચૈત્ર:' વાક્યનો પ્રયોગ કરે છે. પરંતુ જે જાણે છે કે ચૈત્ર પટને જ જોઈ રહ્યો છે, આકાશને નહીં તે, તે જ વખતે ‘આળાશં ન પશ્યતિ ચૈત્ર:' વાક્યનો પ્રયોગ કરે છે. આમ વાસ્તવમાં બંને વચ્ચે પ્રતિબધ્યપ્રતિબંધકભાવ હોવા છતાં બંને વાક્યથી શાબ્દબોધ થવાની આપત્તિ આવશે. તે કેવી રીતે એ સમજાવવા કહે છે – નિરુપિતત્ત્વ સંબંધ; વૃત્તિ-અનિયામક હોવા છતાં તેને અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક માની લઈએ તો ‘આાશં ન પતિ ચૈત્ર:' વાકયથી આકાશનો નિરુપિતત્ત્વ સંબંધથી વિષયિતા વિશેષ (૬) માં અભાવ જણાશે. અને ‘આાશં પતિ ચૈત્ર:' સ્થળે આકાશનો નિરુપિતત્વ સંબંધથી વિષયિતાવિશેષ (વ) માં અન્વય થશે. બંને વિષયિતા જુદી હોવાથી, તે બે વાક્ય જનિત બોધ, પરસ્પરના પ્રતિબંધક નહીં બની શકે કારણ કે, તસ્મિન્ તત્તા બુદ્ધિ જ, તસ્મિન્ તરમાવવત્તા બુદ્ધિની પ્રતિબંધક છે, અને અહીં તો જુદી જુદી વિષયિતામાં આકાશવત્તા અને આકાશાભાવવત્તાનું જ્ઞાન થાય છે. અને બંને બોધ એકસાથે થશે. જે અનિષ્ટ છે.
જ્યારે એક પર્વતનો ઉદ્દેશીને પર્વતો વૃદ્ઘિમાન્ એમ કોઈ કહે ત્યારે તે વાક્યજન્ય જ્ઞાનથી, બીજા પર્વતને ઉદ્દેશીને કહેવાયેલા વૃત્તિ-ઝમાવવાન્ પર્વત: વાક્યજન્ય જ્ઞાનનો પ્રતિબંધ થતો નથી, કારણકે બંને પર્વતો
વ્યુત્પત્તિવાદ * ૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org