________________
(અભાવમાં) સંસર્ગ, અન્વયિતાચ્છેદક ઘટત્વથી અવચ્છિન્ન પ્રતિયોગિતા જ બની શકે, ઘટત્વથી અનવચ્છિન્ન પ્રતિયોગિતા નહીં... (અહીં ઘટ અભાવમાં અન્વયી હોવાથી ઘટત્વ, અન્વયિતાવચ્છેદક
(જો ઘટાભાવ એવી બુદ્ધિ વિશિષ્ટવૈશિષ્ટયાવગાહી જ હોય, એવો નિયમ ન હોય, તો ઘટની ઉપસ્થિતિ, ઘટવાવચ્છિન્ન રૂપે જ થાય એવો નિયમ ન રહેવાથી, ઘટવ્યક્તિ રૂપે પણે તેની ઉપસ્થિતિ થઈ શકે. અને અન્વયિતાવચ્છેદક કોઈ ન હોવાથી, અન્યધર્માવચ્છિન્ન પ્રતિયોગિતા પણ સંસર્ગ બની શકે.) એટલે ચૈત્ર: દ્રવ્ય Tછત સ્થળે, દ્રવ્યભેદની જે બુદ્ધિ થાય છે, તે પણ દ્રવ્યત્વાવચ્છિન્નના ભેદ રૂપે જ થાય અને તેથી સંબંધ પણ દ્રવ્યવાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ જ બને, તદુવ્યકિતત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ નહીં. અને ચૈત્ર દ્રવ્યવાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી તો દ્રવ્યભિન્ન ન હોવાથી, ઉપરોક્ત પ્રયોગ અપ્રામાણિક બનવાની આપત્તિ ઊભી જ રહેશે.
૨૬.
तहि क्रियान्वयिभेदप्रतियोगितावच्छेदकत्वमेव द्वितीयार्थोऽस्तु भेदे प्रकृत्यर्थस्याधेयतासंबन्धेनान्वय इति न काचिदनुपपत्तिः । તો, દ્વિતીયાર્થ, (પરમતત્વના બદલે) ક્રિયામાં અન્વયી એવું, ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ માનશું. પ્રત્યર્થનો ભેદમાં આધેયતા સંબંધથી
અન્વય કરશું. એટલે કોઈ આપત્તિ નહીં રહે. વિવેચનઃ દ્વિતીયાર્થ પરમતત્વ કરવામાં, ચૈત્ર: દ્રવ્ય છતિ વિ. સ્થળે ઉપર
કહેલ (નં. ૧૫૩) આપત્તિ આવે છે. એટલે હવે દ્વિતીયાર્થ ભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ કરે છે. પ્રકૃત્યર્થનો ભેદમાં આધેયતા સંબંધથી અન્વય થશે અને દ્વિતીયાથનો ધાત્વર્થ ક્રિયામાં અન્વય થશે (ક્રિયા, પરમાં હોવી જોઈએ એમ કહેવાને બદલે સ્વમાં ન રહેવી જોઈએ. એમ કહ્યું છે.) અહીં ભેદ, “ક્રિયીવાનું ’ એવો લેવાનો છે. ક્રિયા ધાત્વર્થ છે. જેમાં ધાત્વર્થતાવચ્છેદક ફળ (સંયોગદિ)નો જનકતા સંબંધથી અન્વય થાય
વ્યુત્પત્તિવાદ % ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org