________________
ચૈત્રતાવચ્છિન્નનો ભેદ લેવો પડશે. હવે આવા ચૈત્રત્વાવચ્છિન્ન ચૈત્રમાં જ ક્રિયા રહી હોવાથી, ચૈત્રતાવચ્છિન્નભિન્ન સમતત્વનો અન્વય ક્રિયામાં ન થઈ શકવાથી એ વાક્ય અપ્રામાણિક ઠરશે. તેથી તેવા પ્રયોગની આપત્તિ નહીં આવે. ચૈત્ર: દ્રવ્ય અછત સ્થળે, દ્રવ્યનો, તદુવ્યક્તિત્વ = તદ્રવ્યત્વ = ગ્રામત્વથી અવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી ભેદમાં અન્વય થશે. તેથી ગ્રામભેદ લેવો પડશે. અને તો ગ્રામભિન્નસમવેતત્વનો અન્વય ચૈત્રનિષ્ઠક્રિયામાં થઈ જશે અને શાબ્દબોધ થઈ જશે. આ રીતે કરવાથી બંને આપત્તિનું વારણ થશે. પણ, આવા શાબ્દબોધ માટે પૂર્વે તવ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ રૂપ સંબંધની ઉપસ્થિતિ જરૂરી છે. તેનું કારણ એ છે કે, શાબ્દબોધ માટે, “આ સંબંધથી વિશેષણવિશિષ્ટવિશેષ્યનું જ્ઞાન કરાવવાનું તાત્પર્ય છે” એવું તાત્પર્યજ્ઞાન એ કારણ છે અને તેના માટે સંબંધની ઉપસ્થિતિ જરૂરી હોય છે અને પૂર્વે (પ્રથમા કારકમાં જણાવ્યા મુજબ, સંબંધના ઘટકોની ઉપસ્થિતિ પણ શાબ્દબોધમાં જરૂરી હોવાથી તવ્યક્તિત્વની ઉપસ્થિતિ પણ જરૂરી છે. પણ, જેને તદ્દવ્યક્તિત્વની ઉપસ્થિતિ નથી થઈ, તેને પણ તાદેશવાક્યથી શાબ્દબોધ તો થાય છે જ. એટલે, તદવ્યક્તિત્વના જ્ઞાનને, શાબ્દબોધનું કારણ માની શકાય નહીં. અને તો વ્યક્તિત્વ, સંબંધનું ઘટક બની શકે નહીં. તેથી તદુવ્યક્તિત્ત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધથી ભેદમાં અન્વય માની શકાય નહીં.
૧૪. एकधर्मावच्छिनप्रतियोगिताया अन्यधर्मावच्छिन्नसंसर्गत्वे मानाभावात्
વળી, એક ધર્માવચ્છિન્ન પ્રતિયોગિતા, અન્યધર્માવચ્છિન્નનો સંસર્ગન
બની શકે, વિવેચન : માવ શબ્દથી જે શાબ્દબોધ થાય છે. તેમાં ઘટનો પ્રતિયોગિતાકત્વ
સંબંધથી અભાવમાં અન્વય થાય છે. આ સંબંધ ઘટક પ્રતિયોગિતાનો અવચ્છેદક, અને અભાવપ્રતિયોગિતાનો અવચ્છેદક એક જ હોય, જુદાં નહીં. એટલે જો ઘટવાવચ્છિન્નનો અભાવ હોય, તો સંબંધ ઘટક પ્રતિયોગિતા પણ ઘટવાવચ્છિન્ન જ હોય. એટલે કહ્યું કે એક ધર્મ (ઘટત્વ)થી અવચ્છિન્ન પ્રતિયોગિતા, અન્ય ધર્મ (પટત્વ)થી અવચ્છિન્નનો સંસર્ગ = સંબંધ ન બની શકે.
વ્યુત્પત્તિવાદ % ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org