SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ છે ? તો પછી વિકલ્પ ઉપર પણ તારી માલિકી કઈ રીતે? વિભાવ કે વિકલ્પ તારા અધિકારમાં તો નથી કે ધાર્યા મુજબ હંમેશા તેને બદલી શકાય. તો પછી આત્મા તેનો માલિક કઈ રીતે ? સ્વયં પરિણમનશીલ સ્વપરપર્યાયોને તારે શા માટે બદલવા છે ? કઈ રીતે બદલવા છે ? ક્યા સ્વરૂપે બદલવા છે ? તેમાં ફેરફાર કરવાની અમોઘ શક્તિ-તાકાત-આવડતબુદ્ધિ-હોશીયારી-કળા તારી પાસે છે? ઈચ્છા વિના પણ વિકલ્પો તો છળી ઉછળીને આવી જ પડે છે. તો આત્માની સત્તા તેના ઉપર ક્યાં રહી? અરે ! આઠમાથી બારમાં ગુણઠાણા સુધી જીવ પોતાના શુદ્ધ ચૈતન્યમાં ડૂબી જવા છતાં ઘણી વાર ત્યારે પણ પૂર્વબદ્ધ અસત્ય મનોયોગ અને અસત્ય વચનયોગ વગેરે આવી જાય છે. ક્ષાયિક વીતરાગદશા હોવા છતાં પણ તેનું નિવારણ નથી થઈ શકતું તો પછી નિમ્નકક્ષાએ રહેલા સાધકોની તો શી વાત કરવી ? કર્મવશ જે આપમેળે થાય તેમાં કરવાનું શું હોય અને અટકાવવાનું પણ શું હોય? સૂર્ય પશ્ચિમમાં ઉગે, મેરુપર્વત ચાલવા માંડે, અગ્નિ ઠંડો પડી જાય, કમળ પર્વતના શિખરે શીલા ઉપર ઉગે તો પણ નિયતિના પત્થરમાં કોતરાયેલી કમરખા બદલતી નથી જ. શું આ તું ભૂલી ગયો? માત્ર કર્મ સત્તાના દોરીસંચાર મુજબ મન બાહ્ય પરિસ્થિતિ પલટાતાં સતત વિભાવ અને વિકલ્પના તોફાન કરે રાખે છે. ખરેખર જેની કદાપિ કલ્પના કવિ પણ કરી ન શકે તથા સ્વપ્રમાં પણ જે સ્કુરાયમાન ન થાય તેવી નિયતિના પત્થર ઉપર કોતરાયેલી કમરખા- બદલી શકાય તેમ છે જ નહિ. તો શા માટે તેને બદલવાનો વ્યર્થ પ્રયાસ કરે છે? તેનો તું કેવળ જાણનાર-જોનાર છે. પ્રાણી પર્વતના* શિખર ઉપર ચઢે કે દરિયો પાર કરીને પાતાળમાં ઘૂસી જાય તો પણ છે. પુષ્ય ૩ મી-વ-કરd | (ચતુર્થર્મગ્રન્ટ T.૪૬) .. कर्मोदयाच्च तद्दानं, हरणं वा शरीरिणाम् । पुरुषाणां प्रयास: कस्तत्रोपनमति स्वतः ।। (अध्यात्मसार १८१०७) ». उदयति यदि भानुः पश्चिमायां दिशायां, प्रचलति यदि मेरुः शीततां याति वह्निः । विकसति यदि पद्मं पर्वताग्रे शिलायां तदपि न चलतीयं भाविनी कर्मरेखा ।। .. यन्मनोरथशतैरगोचरं यत् स्पृशन्ति न गिरः कवेरपि । ___ स्वप्नवृत्तिरपि यत्र दुर्लभा लीलयैव विदधाति तद् विधिः ॥ *. आरोहतु गिरिशिखरं समुद्रमुल्लंघ्य यातु पातालम् । विधिलिखिताक्षरमालं फलति सर्वं न सन्देहः ।। ૨૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004964
Book TitleSamvedanni Sargam
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherDivya Darshan Trust
Publication Year1999
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy