SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ એકપાક્ષિક પુત્રત્વ સમ્બન્ધ અને રામનો દશરથ સાથે એકપાક્ષિક પિતૃત્વ સમ્બન્ધ છે. - બે ભાઈ - ભાઈ વચ્ચે ભાતૃત્વનો સમ્બન્ધ એ પરસ્પર સમ્બન્ધ છે. - બે મિત્ર - મિત્ર વચ્ચે મૈત્રી સમ્બન્ધ એ પરસ્પર સમ્બન્ધ છે. એવી રીતે ઘટ - ભૂતલનો સંયોગ પરસ્પરનો સમ્બન્ધ છે. ગુણ - ગુણી વગેરેનો સમવાય એ પરસ્પરનો સમ્બન્ધ છે. – તો આ રીતે પરસ્પર નિરૂપક - નિરૂપ્ય ભાવ ક્યાં હોય? જેમ જ્ઞાનપ્રતાપે ઘડો વિષય બન્યો. જ્ઞાનપ્રતાપે ઘડામાં વિષયતા આવી જેમ ઘડાના પ્રતાપે જ્ઞાન વિષયી બન્યું ઘડાના પ્રતાપે જ્ઞાનમાં વિષયિતા આવી. તેમ ઘડામાં વિષયતા આવી ત્યારે જ્ઞાનમાં વિષયિતા આવી, તેમ જ્ઞાનમાં વિષયિતા આવી ત્યારે ઘડામાં વિષયતા આવી, અર્થાતુ ઘનિષ્ઠ વિષયતા જેમ જ્ઞાનરૂપ વિષયના પ્રતાપે તેમ જ્ઞાનનિષ્ઠ વિષયિતાના પ્રતાપે પણ ખરી. તથા જ્ઞાનનિષ્ઠ વિષયિતા જેમ વિષયભૂત ઘડાના પ્રતાપે તેમ ઘટનિષ્ઠ વિષયતાના પ્રતાપે પણ ખરી. ઘડો – જ્ઞાનનિષ્ઠવિષયિતા | ઘનિષ્ઠવિષયતા જ્ઞાન ઘનિષ્ઠવિષયતા જ્ઞાનનિષ્ઠવિષયિતા અહીં ઘડા કે જ્ઞાન સાથે અહીં બે ધર્મોમાં પરસ્પર પરસ્પર નિરૂપક ભાવ નિરૂપક તે ભાવ પરસ્પર નિરૂપિત નથી. નિરૂપિત છે. કારણ - બન્ને એકબીજાના પ્રતાપે છે. ઘટનિષ્ઠ વિષયતાનિરૂપક જ્ઞાનનિષ્ઠ વિષયિતા જ્ઞાનનિષ્ઠ વિષયિતા નિરૂપિત ઘનિષ્ઠ વિષયતા જ્ઞાનનિષ્ઠ વિષયિતા નિરૂપક ઘટનિષ્ઠ વિષયતા ઘટનિષ્ઠ વિષયતા નિરૂપિત જ્ઞાનનિષ્ઠ વિષયિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy