SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન → ભાષાજ્ઞાન નથી એટલે શું ? જવાબ → ‘આ શબ્દનો આ અર્થ’ અથવા ‘આ અર્થ માટે આ શબ્દ વપરાય.' દા.ત. ‘ઘો....ડો’ આ શબ્દનો ચાર પગવાળું નજરે દેખાતું જનાવર.... એ અર્થ. અથવા નજરે દેખાતા ચાર પગવાળા જનાવર માટે ઘો....ડો' શબ્દ વપરાય. આવું ‘શબ્દ - અર્થ વચ્ચેના સમ્બન્ધનું જ્ઞાન, ન હોવું (ભાષાજ્ઞાન હોતું નથી.) શબ્દ અર્થ વચ્ચે ક્યો સમ્બન્ધ છે ? ‘ઘોડો' શબ્દ સાંભળવાથી ગાયનું ભાન થતું નથી, ગાય શબ્દ સાંભળવાથી ઘોડાનું ભાન થતું નથી. એનાથી શું નિશ્ચિત થાય છે ? તો કે નિયત શબ્દને નિયત અર્થ સાથે સમ્બન્ધ હોય છે (અમુક શબ્દને અમુક જ અર્થ સાથે સમ્બન્ધ છે.) એ સમ્બન્ધને વાચ્ય - વાચકભાવ સમ્બન્ધ કહેવાય. (ટૂંકામાં સંકેત કહેવાય.) સંકેતજ્ઞાન – વાયવાચકે સમ્બન્ધ જ્ઞાન = ‘આ શબ્દનો આ અર્થ’/‘આ અર્થ માટે આ શબ્દ' આવું જે જ્ઞાન. સંકેતજ્ઞાન ને વૃત્તિજ્ઞાન પણ કહેવાય. (સંકેત = વૃત્તિ) સંકેત / વૃત્તિના બે ભેદ ૧. શક્તિ અને ૨. લક્ષણા. (વૈયાયિક મતે) દા. ત. કાંતિ કાનથી વાંચે છે આ વાક્યમાં કાન શબ્દનો શક્તિ નામના સંકેતથી કર્મેન્દ્રિય અર્થ થાય પણ એ અહીં ઘટે નહીં. માટે જ્યાં શક્તિથી અર્થ ન ઘટે ત્યાં લક્ષણા સમ્બન્ધથી અર્થ ઘટાવવો પડે. અહીં કાનથી એટલે ‘કાન ઉપર ટેકવેલા ચશ્માથી' વાંચે છે - આવો અર્થ લક્ષણાથી થાય. દરેક શબ્દ ઉપરથી બે અર્થ યથાયોગ્ય પકડી શકાય. શક્તિ નામના ૪૨ 8 9 8 8 9 8 0 ૨ સર ક ક ક ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy