SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ઉપમાન પ્રમાણ પરોક્ષ પ્રમાણ બીજું ઉપમાન = દૃષ્ટાંતના સાદેશ્યને આધારે કોઈ અપરિચિત વસ્તુની ઓળખાણ (વસ્તુને પરિચિત) કરવી તે ઉપમાન પ્રમાણ. વસ્તુની ઓળખાણ = વસ્તુની સંજ્ઞાનું ભાન વસ્તુ અને એના નામ - બે વચ્ચે સંજ્ઞા - સંજ્ઞી સમ્બન્ધનું ભાન થવું. શિવશંકરે ઘોડો જોયો નથી, ગધેડો જોયો છે. જટાશંકર સાથે ઘોડાની વાત નીકળી. શિવજીનો પ્રશ્ન - ભાઈ ! ઘોડો કેવો હોય ? જટા – તે ગધેડો જોયો છે? શિવ – હા, જટા --> ગધેડા જેવો ઘોડો હોય છે. (સ્ટેજ એનાથી ખોટો) પછી એકવાર રસ્તા પરથી જતાં શિવજીએ ઘોડાને જોયો - અને એના સાદેશ્યથી ગધેડાનું સ્મરણ થયું. પછી જટાશંકરનું વાક્ય યાદ આવ્યું. ગધેડા જેવો ઘોડો હોય છે.” હવે એને ઘોડાની ઓળખાણ થઈ. અર્થાત્ આ સામે દેખાતા (રસ્તેથી જઈ રહેલા) જનાવરને ઘોડો કહેવાય એ ભાન થયું. અહીં નજરે દેખાતું જનાવર -- સંજ્ઞી બે વચ્ચે નો સમ્બન્ધ આજે અને “અશ્વ' (ઘોડો) – સંજ્ઞા ! જાણ્યો. સામે દેખાતું જનાવર અને “અશ્વ' રૂપ સંશી બે વચ્ચેના અભેદનું જ્ઞાન થવું તેને ઉપમાન પ્રમાણ કહેવાય. સાચું હોય તો પ્રમાણ, ખોટું હોય તો ભ્રમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy