SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિય પ્રત્યક્ષ ન્યાયદર્શન વગેરેમાં ‘પ્રમાનું કરણ તે પ્રમાણ’ આ વ્યાખ્યાને આધારે રૂપસાક્ષાત્કાર વગેરે પ્રમાજ્ઞાન છે. તેનું કરણ, ચક્ષુ વગેરે ઇન્દ્રિય હોવાથી ઇન્દ્રિયોને પ્રમાણ ગણવામાં આવે છે. જૈન દર્શન ના પાડે છે. જડ વસ્તુ પ્રમાણ ન ગણી શકાય. કારણ પ્રમાણ પ્રકાશરૂપ છે એટલે જ્ઞાનમય જ હોવું જોઈએ. ઇન્દ્રિયદ્વારા પ્રત્યક્ષ જ્ઞાન કઈ રીતે થાય છે ? ઇન્દ્રિયદ્વારા પ્રત્યક્ષ જ્ઞાનની પ્રક્રિયા. ન્યાયદર્શનના મતે - ઇન્દ્રિય અને વિષય બે વચ્ચે સમ્પર્ક (સમ્બન્ધ સંનિકર્ષ) સ્થાપિત થવો જોઈએ. ‘વિષય + ઇન્દ્રિય + મન + આત્મા' આ ચારના શૃંખલાબદ્ધ સમ્પર્કથી · સન્નિકર્ષથી ઇન્દ્રિયપ્રત્યક્ષ જ્ઞાન થાય. = = વ્યાખ્યા ઃ- ઇન્દ્રિય સંનિકર્ષજન્યું જ્ઞાનં પ્રત્યક્ષમ્, સંનિકર્ષ એટલે જોડાણ. નિદ્રામાં ઇન્દ્રિય અને મનવચ્ચેની સાંકળ તૂટી જાય છે. એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ થતું નથી. ૧. સ્પર્શ / સ્પર્શવાળું દ્રવ્ય + સ્પર્શનેન્દ્રિય + મન + આત્મા આ રીતે સાંકળ જોડાય ત્યારે સ્પર્શનું અને સ્પર્શવાળા દ્રવ્યનું પ્રત્યક્ષ થાય એને સ્પાર્શન પ્રત્યક્ષ કહેવાય. ૨. રાસન પ્રત્યક્ષ → રસ (સ્વાદ) + રસનેન્દ્રિય + મન + આત્મા, આ સાંકળ જોડાય ત્યારે રસનું પ્રત્યક્ષ થાય. ૩. ઘ્રાણજ પ્રત્યક્ષ → (ગન્ધ પ્રત્યક્ષ) ગન્ધ + ઘ્રાણેન્દ્રિય (નાકની અંદરનો ભાગ) + મન + આત્માની સાંકળથી ઘ્રાણજપ્રત્યક્ષ થાય. અર્થાત્ ગન્ધનો સાક્ષાત્કાર થાય. ૧૦ ૪. ચાક્ષુષપ્રત્યક્ષ → રૂપ / આકાર અથવા રૂપવાળું દ્રવ્ય + નેત્ર + મન + આત્માની સાંકળ જોડાય ત્યારે ચાક્ષુષપ્રત્યક્ષ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy