SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - જેનું ક્યાંય કયારેય અસ્તિત્વ જ ન હોય ૨ - જેનું ક્યાંક અસ્તિત્વ ન હોય. દા.ત. ગગનપુષ્પ વગેરે, અત્યન્ત અસત્ કહેવાય. અને આગમાં પાણી ન હોય, તે આંશિક અસત્ કહેવાય. પ્રમાણનો વિષય = પ્રમેય પ્રમાણ (જ્ઞાન) = પ્રમા જ્ઞાનનો વિષય = ય ભ્રમ = ભ્રમણા = કલ્પના = સંવૃતિ જ્ઞાન ઉપરાંત પ્રમાણશબ્દ સાબિતી - સાક્ષી પુરાવા - પૂફ - ચિહ્ન આવા અર્થોમાં પણ વપરાય છે. ૯) જેનાથી પ્રમાણાત્મક જ્ઞાન ઉત્પન્ન થાય તે પ્રમાણ. મંછારામને ઘણો તાવ છે. શું પ્રમાણ? સાબિતી?) ૧૦૩ ડિગ્રી પારો ચડેલું થર્મોમીટર એ પ્રમાણ. વરજ્ઞાનકારણ થર્મોમીટર એ પ્રમાણ. પ્રમાત્મકજ્ઞાનનું જે કરણ = તે પ્રમાણ જૈનમતે જ્ઞાનના પાંચ પ્રકાર – મતિ + મૃત + અવધિ + મન:પર્યાય + કેવલ. બીજી રીતે જ્ઞાનના પ્રકારો : પ્રમાણ - મિથ્યાજ્ઞાન (વિપર્યય-વિપર્યાસ) - સ્મૃતિ - પ્રત્યભિજ્ઞા - સંશય - અનુભવ - નિયમ (વ્યાપ્તિ) - તર્ક (આરોપ) વગેરે. પ્રમાણ ભેદો વિષે અનેક મતભેદ છે. અહીં તે બધાનો ઉલ્લેખ કરીએ છીએ. ૦ પ્રમાણભેદ ૦ પ્રત્યક્ષ અનુંમાન ઉપમાન | શબ્દ અર્થાપતિ અભાવ તર્ક પારમાર્થિક સાંવ્યવહારિક સ્મૃતિ પ્રત્યભિજ્ઞા ખોટા પ્રત્યક્ષથી માંડીને અભાવ સુધીના ભેદો મિથ્યાજ્ઞાનના પણ હોય. ૧ A અનુભવ - એકના એક વિષયનું અનેકવાર જ્ઞાન થઈ જાય ત્યારે તે અનુભવમાં પરિણત થયું કહેવાય છે. તેના જ્ઞાતાને અનુભવી કહેવાય છે. B અધ્યાત્મ - ધ્યાન - યોગ આ બધાના અભ્યાસથી જે ચિત્રવિચિત્ર જાણવા મળે છે તે પણ અનુભવ કહેવાય છે. C ન્યાયમત સ્મૃતિભિન્ન જ્ઞાનને “અનુભવ” કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004963
Book TitleNyaya Bhuvanbhanu
Original Sutra AuthorN/A
AuthorJaysundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2005
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy