________________
૫૩
પ્રભુ મહાવીર રોજ ને રોજ દેશના દેતા હોવાથી વાફસંયમ કયાં રહ્યો? વાણી-પ્રયોગ દોષ રૂ૫ તો ત્યાં છે, કે જ્યાં એ જો (૧) જીવોની હિંસામાં નિમિત્તરૂપ હોય, અથવા (૨) અસંયમનો પોષક હોય.
કિન્તુ અહીં તો પ્રભુ ત્રણ-સ્થાવર જીવોની રક્ષા કરવાના સ્વભાવવાળા હોવાથી, તેમ જગતના જીવો પાસે પણ રક્ષા કરાવવાના ઉદ્દેશવાળા હોવાથી એમના વચન પ્રયોગ હિંસામાં જરાય નિમિત્ત બનતો નથી. પ્રભુ તો માહણ' છે તેમજ પ્રભુ બાર પ્રકારના તપને આચરનારા હોવાથી જરાય અસંયમ આચરનારા નથી હોતા. પ્રભુએ તો રાગદ્વેષનો સર્વથા ક્ષય કર્યો હોવાથી એમને લાભ-પૂજા-ખ્યાતિ વગેરેનો કોઇ રાગ કે કોઇ આશંસા યા કોઇ જ આકર્ષણ નથી હોતું. એટલે,
ભગવાન દેશના આપે છે એ કોઇ રાગથી નહિ પણ જીવોના હિત માટે આપે છે એટલે વાત્સંયમ જ છે.
વાણીનો અસંયમ તો રાગ-દ્વેષથી વાણીનો પ્રયોગ થતો હોય ત્યાં હોય.
પ્રભુ દેશના આપે એમાં સ્વોપકાર યાને પ્રભુની પોતાની ઉપર ઉપકાર ખરો? હા, પ્રભુને પોતાને તીર્થકર નામકર્મ આદિ પુણ્ય કર્મ એવું છે કે તે ભોગવાઇને જ સર્વથા ખપાવાનું છે. તે પ્રભુ ધર્મદેશના દઇને જ એ
ભોગવતા જાય છે અને ક્ષીણ કરતા જાય છે. એ પ્રભુના પોતાના આત્મા ઉપર કર્મક્ષય થવાનો ઉપકાર છે તથા ઉપસ્થિતિ ભવ્યજીવો પર ઉપકારનો લાભ તો મોટો છે જ.”
દેવોએ પ્રભુ માટે સમવસરણ બનાવ્યું, ને પ્રભુ એને ભોગવે એટલે (૫) આધાકર્મ સેવ્યાનો પ્રભુને દોષ તો લાગે જ ને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org