SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ નાંખીને આપ્યો. હવે જે વખતે એ સરબત પીવાઇ રહ્યું છે એ જ વખતે શું પેલું માંહી ભળેલું કરિયાતાનું પાણી નથી પીવાઇ રહ્યું ? પીવાઇ જ રહ્યું છે પરંતુ એના કડવા રસનો અનુભવ નથી. અનુભવ તો પેલા સરબતની મિઠાશનો જ થાય છે. મતલબ કરિયાતાનું ચમચી પાણી ભોગવાઇ રહ્યું છે છતાં એનો રસ નથી ભોગવાતો, રસનો અનુભવ નથી થતો. કારણ ? સરબતના રસે કરિયાતાના રસને સ્થગિત કરી દીધો. છતાં કરિયાતું ભોગવાયું ગણાય પણ વિના રસાનુભવે. બસ, કર્મમાં પણ આવું બને છે. એક કર્મના રસના અનુભવ હોય ત્યારે એમાં ભળેલાં બીજા કર્મનો રસ સ્થગિત થઇ જાય. પેલાનો રસ અનુભવમાં આવે અને આનો રસ અનુભવમાં ન આવે અને છતાં પેલા કર્મની હારોહાર આ કર્મ ભોગવાઇ જાય એમ બને. આ માટે કર્મ ઉદયના પૂર્વ સમયે “સ્તિબુક સંક્રમ' ની પ્રક્રિયા થાય છે. સ્તિબુક સંક્રમની પ્રક્રિયા:સ્તિબુક સંક્રમ' એટલે પછીના સમયમાં ઉદયમાં આવનાર બીજા કર્મના ભેગું આ કર્મને સંક્રમાવી દેવામાં આવે, ભેળવી દેવામાં આવે તે એવું કે પછીના સમયે પેલા કર્મના રસનો અનુભવ થાય પરંતુ એના જોરદાર રસથી સ્થગિત થઇ ગયેલો આ કર્મનો રસ અનુભવમાં ન આવે. આવી માત્ર ઉદયના પૂર્વ સમયે જ ભેળવણીને “તિબુક સંક્રમ' કહે છે. એવા સિબુક સંક્રમને પામીને પછીના જ સમયે ઉદયમાં આવતું કર્મ માત્ર પ્રદેશોદયથી ભોગવાય. એનો માત્ર પ્રદેશોદય હોય પણ રસાનુભવ નહિ, વિપાકોદય નહિ. આમાં એવું પણ બને કે જેમ સરબત નહિ પણ ખાલી પાણી ભરેલા મટકામાં કરિયાતાની બહુ નાની ચમચી પડી તો પણ પછી પીવાના પેલા પાણીનો જ અનુભવ થાય છે, કડવા કરિયાતાનો નહિ. એવી રીતે મંદરસવાળા કોઇ ક્રોધ, મોહનીય વગેરે કર્મ વિપાકોદયથી ઉદયમાં હોય અને પૂર્વે એનામાં અધિક રસવાળું ક્રોધમોહનીય કર્મ ભળ્યું હોય છતાં અનુભવ પેલાનામંદ રસનો થાય, આના અધિક રસનો નહિ. આને માત્ર પ્રદેશોદય કહે છે. ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy