________________
સદ્ગતિના દાતા...વાહકેવા અનુપમ પરમાત્મા !” આ ભાવના પણ સાથે જ કરવાની છે કે જેથી ચિત્ત આંગીનું નિમિત્ત પામી મુખ્ય પ્રભુ ઉપર લાગી જાય.
હવે જો આ ભાન જાગ્રત છે કે ભગવાન સર્વશ્રેષ્ઠ છે,' તો એમની આગળ સારી ચીજવસ્તુ તુચ્છ લાગશે. તેથી એ ચીજો ભગવાનના ધ્યાનમાં દખલ નહિ કરી શકે. મનને બેઠું છે કે ચીજવસ્તુ તો લલાટમાં લખ્યા પ્રમાણે મળવા ટકવાની છે પણ આવા ભગવાન ક્યાં મળે ?
માંદગીમાં અને અંત સમયે સમાધિ માટે નવકાર મંત્રનું સ્મરણ કરવામાં આવે છે તો, નવકારમાં સમાધિ શી રીતે ભરી પડી છે? પહેલું તો એ જુઓ કે નવકાર મહામંત્રમાં એવા પવિત્ર, પતિતપાવનકારી ૬૮ અક્ષરો ગોઠવાયેલા છે કે શાસ્ત્ર કહે છે કે
એનો માત્ર પહેલો અક્ષર “ન' બોલતાં સાત સાગરોપમની પાપકર્મની સ્થિતિ તૂટે છે ! “નમો અરિહંતાણં બોલતાં પ૦ સાગરોપમની કર્મસ્થિતિ તૂટે છે ! સંપૂર્ણ નવકાર બોલી રહેતા ૫૦૦ સાગરોપમની પાપસ્થિતિ તૂટે છે. ! સ્થિતિ તૂટવા માટે રસ પણ મંદ પડે છે તેથી એ પાપકર્મની અસમાધિ કરાવવાની શક્તિ તૂટે છે, એટલે સમાધિને અવકાશ મળે છે. જો એકવારના નવકારથી આમ, તો અનેકવારના નવકારથી કેટલો લાભ ?
(૨) બીજી રીતે જોઇએ તો નવકારથી પુણ્ય વધે છે. એ સમાધિ પ્રેરક સગવડ સામગ્રી આપે છે તેથી સમાધિ સુલભ બને છે.
(૩) એક નક્કી હકીકત છે કે ચિત્ત ગમે તેટલું વિહ્વળ થયું હોય, અસમાધિમાં પડ્યું હોય તો પણ ક્રમશ: નવકારના પ્રત્યેક અક્ષર અને પદ ઉપર મન કેન્દ્રિત કરી ચલાવવાથી પેલી અસમાધિ ભૂલાઇને સમાધિને સ્થાન મળે છે.
(૪) ત્યારે નવકારમાં પરમેષ્ઠીને નમસ્કાર જે કરાય છે તે ભારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org