________________
દેખાતા પાપ પછીના ભવે કેમ પ્રગટે છે? , | આ બધાનો ખુલાસો એ છે કે :
| (૧) દેખીતા એક પાપ સાથે બીજા પાપોની આંશિક વૃત્તિઓ
છુપાયેલી પડી હોય છે. અથવા, (૨) ભવિષ્યમાં પ્રગટતાં પાપનાં મૂળ તત્ત્વ ચાલું જીવનનાં દેખીતા એક પાપમાં ભેગાં ભળ્યાં હોય છે.
ચંડકોશિયાના જીવ સાધુએ ગુસ્સો કર્યો હતો એવું પ્રગટ દેખાય છે, પરંતુ સાથે જાત ઉપર મમત્વ હતું, રાગ હતો. “હું સારો છું. મને આ સાધુ કડકીમારનાર તરીકે કેમ ઓળખાવે છે ?” આ જડ કાયા ઉપરનો જે રાગ અને મમત્વ એ વાડી ઉપર ફાલ્યા ફૂલ્યા.
પ્રશ્ન થાય કે “એ તો નાના રૂપમાં હતા ને ? તો આટલા મોટા ક્યાંથી આવ્યા ?”
ઉત્તર એ છે કે એ નાના પણ રાગાદિ માનવ ભવના હતા, અને ધર્મસમજની ઉપરવટ થઇને રહ્યા હતા, તેથી ભવિષ્યમાં એના ગુણાકાર થયા! એટલે કહો,
ધર્મસમજની ઉપરવટ જાય તે પાપવૃત્તિના પરભવે ગુણાકાર થાય.
એટલે જ સાવધાન રહેવા જેવું છે કે વર્તમાન જીવનની ઝીણી દેખાતી ય પાપવૃત્તિઓ ભવિષ્યમાં ગુણાકાર ન પામી જાય!
સંસાર જો શરણભૂત નથી તો દેવ-ગુરૂ પણ શરણ ક્યાં આપી શકે છે? દુઃખ અને ઉપાધિ આવી પડે ત્યારે ત્યારે દેવ-ગુરૂ પણ કયાં બચાવી શકે છે? કર્મના ઉદયને તો વેઠવા જ પડે છે ને? વસ્તુ ઉપલક દૃષ્ટિએ ન વિચારો, પણ ઊંડા ઊતરો તો દેખાશે કે દેવ-ગુરૂને શરણે જવાથી એ એવું તત્ત્વજ્ઞાન આપે છે, માનસિક વલણ ઘડી આપે છે, અને એવી જીવનપદ્ધતિ આપે છે કે એક તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org