SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ વિતરાગ ભગવાનને સરાગી ઠાકોરજી વગેરેની જેમ અંગરચના કરાય એ શું ઉચિત છે? અહીં સામે પ્રશ્ન ઉઠે કે, બીજા સરાગી દેવની જેમ વીતરાગ નિરંજન દેવની મૂર્તિ બનાવવી પૂજવી ઉચિત છે ? અગર કહો “હા, ઉચિત છે. કેમકે જો કે દેવને પોતાને મૂર્તિ સાથે કાંઇ નિસ્બત લાભાલાભ નથી, પરંતુ ભક્ત પોતાની ભક્તિ માટે વીતરાગની મૂર્તિ બનાવે છે, જેથી દર્શન પૂજન નમન આદિ કરી શકે તો તો આજ હેતુ અંગરચનામાં પણ છે. અહીં એ ખાસ તફાવત સમજવાનો છે કે સરાગી દેવની માન્યતામાં તો એમ મનાય છે કે એમની મૂર્તિ બનાવવાથી તેમજ એના વંદન પૂજન આદિથી એ દેવ તુષ્ટ થાય છે અને ફળ આપે છે. એટલે કે દેવને મૂર્તિ તથા પૂજાદિ સાથે નિસ્બત છે, ખુશી થવાનો લાભ છે, પરંતુ વીતરાગ દેવની માન્યતામાં એવું નથી મનાતું. એમને મૂર્તિ કે વંદન પૂજન આદિથી કશું રીઝવાનું નથી, એમને કોઇ નિસ્બત પ્રયોજન નથી. પ્રયોજન તો ભક્તને પોતાને છે. એને દુનિયાના મોહવર્ધક સગાં-સ્નેહી વગેરે કઆલંબનોથી છૂટી મોહનાશક વીતરાગના સદ્ આલંબનમાં જવું છે. માટે એમની એ મૂર્તિ સ્થાપે છે અને વીતરાગના દર્શનાદિ કરીને એમનું આકર્ષણ બહુમાન વધારે છે. એવી રીતે ધન વગેરેની મૂર્છાથી છૂટવા અને વીતરાગ પર બહુમાન કૃતજ્ઞતાપાલન વધારવા તથા ધનાદિનો ઉત્તમ પાત્રમાં વિનિયોગ કરાવા તરીકે એ વીતરાગની સારા કિંમતી દ્રવ્યોથી પૂજા અંગરચના-તીર્થયાત્રાદિ કરે છે એથી એના અને બીજા પણ દર્શનાદિ કરનારના ભાવ વધે છે, વિશુદ્ધ થતાં આવે છે. તો પછી આમાં અનુચિત જેવું શું આવ્યું ? ઉર્દુ ધન-મૂચ્છ કુટુંબ-મૂચ્છ પાપક્રિયામાં સમયવ્યય, વગેરે ઘટાડવા અને ગુણી તથા ઉપકારી પ્રત્યે પૂજ્યભાવ, ગુણરાગ અને કૃતજ્ઞતા સક્રિય કરવા વીતરાગની અંગરચના વગેરે ઉચિત જ છે. ૧૩૫ મહાકવિ શ્રી જ્ઞાનવિમળસૂરિજીએ શ્રી અજિતનાથ ભગવાનનાં સ્તવનમાં ગાયું કે “સકલ પદારથ પામીએ, દીઠે તુમ દેદાર; ૫ ૧૬૬૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy