________________
લઇ આવે, એ બનવા જોગ છે. આ બધું અટકાવે કોણ? માટે પ્રતિજ્ઞાની જરૂર છે. એથી મન એને બંધાઇ જાય છે કે “મારે તો પ્રતિજ્ઞા છે, હવે એ પાપની દિશા જ મારે નહિ, આ પ્રતિજ્ઞા પેલા મોહનીય કર્મ સાથે ઝગડે છે. એનો વિપાક-ઉદય, રસોદય નથી થવા દેતાં. આમ મનમાં પાપને પેસતું અટકાવે છે. પ્રતિજ્ઞા અર્થાત્ વિરતિનો મન પર ભાર રહે છે.
હવે જાઓ કે કેવળજ્ઞાની બનેલાને તો (૧) મનમાં ય પાપ પેસવાનો કે (૨) કષાય-ઉદયને કોઇ જગ્યા જ નથી; કેમ કે,
(૧) વિચારણા કરવા જરૂરી ભાવ મન એમનું હોતું જ નથી. પોતે કેવળજ્ઞાની છે, ભૂત-ભવિષ્ય-વર્તમાન બધું જ પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે, હવે વિચાર શાના પર કરવાનો ? વસ્તુ નજર સામે તરત દેખાતી નથી એટલે આપણે એનો વિચાર કરવો પડે છે. સર્વજ્ઞને બધું જ નજર સામે છે એટલે વિચાર હોય નહિ, પછી પાપનો વિચાર જાગવાની વાત જ શી ? બીજું.
(૨) એમને શિલ્લકમાં કોઇ કષાયાદિ-મોહનીય કર્મ છે જ નહિ, તો ઉદયને જગ્યા જ ક્યાં? અને મોહનો ઉદય જ નહિ તો પાપ કોણ પેસાડે?
આમ બન્ને દૃષ્ટિએ જોતાં મનમાં ય પાપ ઉઠવાનો સંભવ જ નથી. તેથી પ્રતિજ્ઞા શાની કરવા બેસે ? ત્યારે આપણે કર્મવશ છીએ, પ્રતિજ્ઞા કરીએ તો કષાય દબાયેલા રહે, પાપ મનમાં ય આવતું અટકે. માટે આપણે વિરતિ ઉચ્ચરવી પડે, કેવળજ્ઞાનીને નહિ. છતાં જીવન કેવું ? કાયાથી તો શું પણ મનના ય પાપ વિનાનું, કારણ કે પાપનો વિચાર કરનારું મન જ નથી, તેમજ પૂર્વે કહી આવ્યા તેમ મુખ્યપણે વિરતિભાવ એટલે કષાયક્ષય એમને છે જ, હવે શાશ્વતો છે.
આપણાથી એમનો ચાળો ન કરાય, કેમકે સંકલ્પ-વિકલ્પ અને વિચારો કરનારું મન બેઠું છે, તથા કષાય મોહનીય કર્મ પણ ઊભાં છે. એને દબાવી રાખવા વિરતિ, પાપત્યાગની પ્રતિજ્ઞા કરવી પડે. તેમ પાછો કષાય મોહ જાગે નહિ તેથી મન પર પ્રતિજ્ઞાનો મોટો ભાર સદા રાખવો પડે. પ્રતિજ્ઞાથી કષાયની ચોકડીઓને દાબેલી જ રાખવાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org