________________
જ્યારે ખરેખર તો દિનપ્રતિદિન પુરુષાર્થનો વેગ વધારવાનો છે, જોમઉલ્લાહ-ઉલ્લાસ-તન્મયતા વગેરે વધારતા રહેવાનું છે, એ વીર્યાચારના સ્વતંત્ર આચારનો ભાર સાથે આવે તો જ બની શકે.
પ્ર. એમ શા માટે ?
જ્ઞાનાચારાદિનું વિધાન અધિકાધિક જોમ ઉત્સાહ સાથેનું જ હોય તો તો પછી એ વિધાનથી જ વધતા જોમ-ઉલ્લાસવાળા જ્ઞાનાચાર આદિ સેવવાનો ભાર આત્માને માથે આવી જ જશે ને ? પછી વીર્યાચારના સ્વતંત્ર વિધાનની શી જરૂર ?
ઉ. એમ તો ચાર આચારને પણ જાદા બતાવવાની શી જરૂર છે ? એવો સવાલ થઇ શકશે; કેમ કે એકલા જ્ઞાનાચારનું જ વિધાન એવી રીતનું કરે કે દર્શનાચાર આદિના જે પ્રકારો છે, તે સહિત જ જ્ઞાનાચારનું પાલન કરવું, એટલે પછી “આચાર કેટલા ? તો કે “એક જ્ઞાનાચાર; એમ જ આચાર બતાવવો પડે; કિન્તુ એમ નથી ચાલી શકતું. કારણ કે જો કે વિદ્વાન પુરુષ તો એક જ આચારના આ જાતના વિધાનથી બીજા આચાર પાળવાનું સમજી શકે, પણ જન સામાન્ય બાળજીવો એ રીતે સમજી ન શકે. એ તો બિચારા એમ જ સમજી બેસે કે આપણે મુખ્ય પાળવાનો આચાર એક માત્ર જ્ઞાનાચાર જ. તેથી દર્શનાચારો-ચારિત્રાચારો વગેરે પર સ્વતંત્ર ભાર આપવાનું નહિ કરે; ને એથી દર્શનાચાર આદિ એને મન ગૌણ થઇ જશે! અને જો થાય તો તે ખોટું છે, કેમ કે જેટલું જ્ઞાનાચારનું મહત્ત્વ છે, તેટલું જ દર્શનાચારનું, તેટલું જ ચારિત્રાચારનું, ન એટલું જ તપાચારનું મહત્ત્વ છે. બાળ જીવોને આ દરેકનું મહત્ત્વ બરાબર ખ્યાલમાં આવે એ માટે એ દરેકે દરેક આચારનાં સ્વતંત્ર વિધાન કરવા જ જોઇએ.
આદિનાથ પ્રભુએ શિલ્પ કળા વગેરે વ્યવહાર શિખવાડયો હતો પણ સાથે સાધુ જીવન અને સુપાત્રદાનનો વ્યવહાર ન શિખવાડ્યો.
ઉલ્લે, સુપાત્રદાનમાં તો નિરવદ્ય નિષ્પાપ વ્યવહાર હતો તો એ કેમ બતાવ્યો નહિ?
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org