SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ છે. બિચારા મફતના હાથે કરીને કુટાય છે એમ કહે છે ! આ બધું શાના પર ? મૂળમાં ખાવું ખોટું એમ લાગ્યું નથી એના પર. બસ, જે કોઇ નાનું પણ અને અવશ્ય કરવું પડતું પણ પાપ ખોટું, ખરાબ, અકર્તવ્ય એમ ન લાગે, એની ભયંકરતા મોટી છે. (૪) નાનું પાપ મોટો ગુન્હો થવાનું ચોથું કારણ આ-પાપ કદાચ ખોટું ય લાગ્યું અને એના પર સંતાપ પણ થયો છતા માનની લાગણીમાં તણાયા ને માનભંગ થવાના ભયથી ગુરૂ આગળ એનો સ્પષ્ટ એકરાર ન કર્યો, પ્રાયશ્ચિત ન લીધું તો દિલમાં પાપની અને માનની ગાંઠ પડી જાય છે. શલ્ય જામી જાય છે અને એ ભાવી ભવોમાં મદ અને પાપોમા રક્ત રાખે છે માટે એ મોટો ગુન્હો. અહીં જરા ઝીણવટથી જોશો તો દેખાશે કે માનભંગ જેટલું ખરાબ લાગ્યું એટલું પાપ દિલમાં રાખી મુકે છે પણ માનભંગ નથી વ્હોરી લેતો. માન હણાવું ન જોઇએ. પાપ ભલે પડયું રહે. માન કિંમતી પણ પાપશુદ્ધિ એટલી મહત્ત્વની નહીં આવું લાગે છે. આમાં માનની અને પાપની ગાંઠ બંધાઇ જાય એમાં શી નવાઇ ? નાનું પણ પાપ આમ પ્રાયશ્ચિત વિના મોટું બની જાય છે. નવકાર મન્ત્ર એ જિનશાસનનો સાર શી રીતે ? ૧૦૮ નમસ્કારમાં મોક્ષમાર્ગ આ રીતે : . નમસ્કાર ક૨વામાં બે વસ્તુઓ ક૨વી પડે છે, ૧. દ્રવ્ય સંકોચ ૨. ભાવ સંકોચ દ્રવ્યસંકોચમાં શરીરના અવયવો, ઇન્દ્રિયો અને મનરૂપી દ્રવ્યોનો સંકોચ કરવાનો હોય છે. અવયવોનો સંકોચ એટલે એને બીજી ત્રીજી હિલચાલ કે અવસ્થાનમાંથી સંકોચી અમુક સ્થિતિમાં સ્થિર રાખવા. દા.ત. મસ્તક જરા નમેલું રાખવાનું, હાથ અંજલી જોડી મુખની આગળ રાખવા, ચક્ષુ નમસ્ક૨ણીય પરમેષ્ઠી ૫૨ લગાવવી, બેઠા હોઇએ ત્યારે આગળ બે ઢીંચણ અને પાછળ બે પગના આંગળા જમીનને અડે, અથવા ઊભા હોઇએ ત્યારે બે પગની વચમાં આંતરૂં આગળ ચાર આંગળ અને પાછળ ચાર આંગળીથી Jain Education International ૧૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy