SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ રવાના થશે! ત્યારે ખૂબ અને કડક ધર્મ-પ્રવૃત્તિઓને મુખ્ય કરી એનું રાત ને દિવસ સેવન કરનારો ભાવ ચોખા કરતો કરતો સત્ પ્રવૃત્તિના બળ પર સાચા નિર્મળ હૈયામાં કેળવતો જશે. મુક્તિમાં તો સર્વમોહ-સર્વકર્મથી રહિત સ્થિતિ છે. એને ભક્તિ સાથે શો મેળ? કેમકે ભક્તિ કરનારો જીવ તો બીજી બાજુ મોહ અને કર્મબંધમાં તરબોળ હોય છે. મુક્તિ સાથે ભક્તિને એ મેળ છે કે વીતરાગની ભક્તિ કરવા માટે પહેલાં તો વીતરાગનું મૂલ્યાંકન કરવું પડે, વીતરાગનું મહત્ત્વ સમજવું ને હૈયે વસવું જોઇએ. જે પુત્રને માતાપિતાનું ઊંચું મહત્ત્વ નજર સામે હશે, એજ એમની ભક્તિ માટે સદા સજ્જ રહેવાનો, માટે તો ચાર ભાઇઓમાંથી જેને આ મહત્ત્વ હૈયે વસ્યું છે એ માતા-પિતાની ભક્તિ કરવામાં ખડે પગે રહે છે, બીજાઓ એમાં સુસ્ત રહે છે. આપણી જાતનું મહત્ત્વ આપણા હૈયે વસ્યું હોય છે તો જાતની સેવા-સરભરા કેટલી બધી કરીએ છીએ ? આમ વીતરાગ પ્રભુનું મહત્ત્વ જેનાં હૈયે વસે એ જ પ્રભુની ભક્તિ કરવા હંમેશા તત્પર હોય. ત્યારે વિતરાગ પ્રભુનું મહત્ત્વ હૈયે વસાવ્યું તે એવું કે મન પોકારે છે કે “વીતરાગ તીર્થંકર પ્રભુમાં એવી એવી વિશેષતાઓ છે કે જગતમાં જેનો જોટો નથી, માટે મારે તો હદયનાથ એ અરિહંત” આ ભાવ સમ્યકત્વ તાણી લાવે છે, ને પછીથી સમ્યકત્વ ક્રમશ: મુક્તિને તાણી લાવે છે, એટલે કહેવાય કે ભક્તિને મુક્તિ સાથે મળે છે. એના મૂળમાં અરિહંતનું અનન્ય મૂલ્યાંકન છે, ને એ અરિહંત પ્રભુની ભક્તિમાં વ્યક્ત થાય છે, તેથી ભક્તિ મુક્તિને બોલાવી લાવનારી દૂતી ગણાય એમાં નવાઈ નથી. તેથી જ કોઈ પણ મોક્ષાર્થી જીવને અરિહંત ભક્તિ એ મહાન શું, અનન્ય કર્તવ્ય બની જાય છે. વારેવારે કરવા પડતા જનમ-મરણથી થાક્યા છો ? તો અરિહંતને ભજો, અરિહંતની ભક્તિ કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy