________________
અધ્યાય-૫.
१. अजीवकाया धर्माऽधर्माऽऽकाश - पुद्गलाः ।
२. द्रव्याणि जीवाश्च ।
३.
नित्याऽवस्थितान्यरूपाणि ।
૧. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાય છે. (‘કાય’ શબ્દ પ્રદેશનો સમૂહ સૂચવે છે. એથી સમય રૂપ કાળ કાય નથી ગણાતો.)
૨. એ ચાર દ્રવ્ય છે, અને જીવો પણ દ્રવ્ય છે. (કુલ પાંચ દ્રવ્ય, ગુણ પર્યાયવાળું તે દ્રવ્ય)
૩. એ દ્રવ્યો નિત્ય છે. પોતાના મુખ્ય સ્વરૂપ (ધર્મત્વ પુદ્ગલત્વ જીવત્વ વગેરે) ને પલટતા નથી, અને (પુદ્ગલ સિવાયના) અરૂપી-અમૂર્ત છે.
અપ
* ૪૬ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org