________________
વર્ગણાઓના વર્ણાદિ - સ્વતંત્ર પરમાણુઓમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે અવિરુદ્ધ સ્પર્શી હોય છે. એટલે કે સ્નિગ્ધ - ઉષ્ણ, સ્નિગ્ધશીત, રુક્ષ - ઉષ્ણ, રુક્ષ-શીત આ૪માંથી કોઈપણ એક જોડકું હોય છે. શેષ ૪ મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ સ્પર્શી પરમાણમાં હોતા નથી. પણ સંયોગના કારણે સ્કંધોમાં પેદા થાય છે. ઔદારિક વૈક્રિય અને આહારક વર્ગણાઓના સ્કંધો પાંચવર્ણ, પાંચરસ, બે ગંધ અને ૮ સ્પર્શવાળા હોય છે. જ્યારે તેજસથી કાર્પણ સુધીના શેષ ૫ ગ્રાહ્ય વર્ગણાઓના સ્કંધો પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ૪ સ્પર્શવાળા હોય છે. એટલે કામણ સ્કંધમાં શીત - ઉષ્ણ - સ્નિગ્ધ-રૂક્ષ એ જ૪ સ્પર્શી હોય છે.
અન્ય મતે આ ૪ સ્પર્શે આ પ્રમાણે - પરમાણુ માટે જે ૪ જોડકાં છે એમાંના કોઈપણ એક યુગલ સાથે મૃદુ અને લઘુ સ્પર્શ હોય છે. ભગવતીજીમાં તૈજસ સ્કંધોમાં આઠેય સ્પર્શી કહ્યા છે.
અવગાહના:- ૧પરમાણુ આકાશ પ્રદેશમાં રહે છે. નયણુક ૧યા ૨ આકાશપ્રદેશમાં રહી શકે,પણ ૩ આકાશપ્રદેશમાં ન રહી શકે. ૧ –ણુક ૧,૨ યા ૩ આકાશપ્રદેશમાં રહી શકે, પણ ૪ આકાશપ્રદેશમાં ન રહી શકે એમ અનંતાણુકર્કંધ ૧,૨,૩... યાવતુ અસ, આકાશપ્રદેશમાં રહી શકે, પણ એનાથી વધુ આકાશપ્રદેશમાં રહી શકે.
અલ્પબદુત્વઃ- કાર્પણ સ્કંધોની અવગાહના સહુથી અલ્પ અને પરમાણુ પ્રદેશો સહુથી વધુ હોય છે. એના કરતાં મનોવર્ગણાના સ્કંધોની અવગાહના અસંખ્યગુણ અને પરમાણપ્રદેશો અનંતમા ભાગે હોય છે. એના કરતાં શ્વાસોશ્વાસ વર્ગણાના સ્કંધોની અવગાહના અસંખ્યગુણ અને પરમાણપ્રદેશો અનંતમાં ભારે હોય છે. આમ ઔદારિક સુધીની ગ્રાહ્યવર્ગણાઓમાં જાણવું. તાત્પર્ય એ છે કે પરમાણુઓ વધતા જાય તેમ તેમ પરિણામ સૂક્ષ્મ સૂક્ષ્મતર થતો જાય છે. તેમ છતાં આ બધા જ સ્કંધોની અવગાહના અંગુલનો અસંમો ભાગ જ હોય છે તે જાણવું.
જીવ જેઆકાશપ્રદેશોને અવગાહીને રહ્યો હોય તે જ આકાશપ્રદેશમાં રહેલા અનંતપ્રદેશી – અસંખ્ય આકાશપ્રદેશાવગાહી કાર્મણ સ્કંધોને ગ્રહણ કરે છે. શતક - ગાથા: ૭૮,૭૯
પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org