________________
-: સમર્પણ :સંઘવાત્સલ્ય અને શ્રમણવાત્સલ્યથી ભરેલું ભરેલું વિશાળ હૃદય. શ્રી અરિહંતપ્રભુ અને શ્રી સૂરિમંત્ર પ્રત્યે ભક્તિથી ભીનું ભીનું સુકોમળ હૃદય.... વડીલો અને નાના મહાત્માઓ પ્રત્યે સરળતાથી અને નમ્રતાથી કૂણું કૂણું હૃદય. કોઈના ગમે તેવા વારંવારના વર્તનને ગળી જતું અને વાત્સલ્યભાવ એવો જ અક્ષત રાખતું ગજબનાક ઉદાર હૃદય.. પરિવારમાંથી માતા, બહેનો, ભાઈ, ભાભી, ભત્રીજા-ભત્રીજી વગેરે કુલ ૧પ ની દીક્ષા શિષ્યપ્રશિષ્યાદિ પરિવાર ૧૬ ઉપસંપદા સ્વીકારીને રહેલા મહાત્માઓ ઘણા.. અનેકનું સંયમમાં સ્થિરીકરણ ઉમર ૭૨ વર્ષ, સંયમપર્યાય...૫૦વર્ષ સૂરિપદપર્યાય..૧૪ વર્ષ
વર્ધમાનતાઓળી...૬૨ • બંધવિહાણં મહાગ્રન્થના મૂળપયડીરસબંધોની લગભગ ૧૬૦૦૦ શ્લોકપ્રમાણ
સંસ્કૃતવૃત્તિની રચના શ્રી સૂરિમંત્રના પાંચે પ્રસ્થાનની પાંચથી અધિક વાર આરાધના દક્ષિણ મહારાષ્ટ્રમાં વર્ષો સુધી વિચરીને ત્યાંના શ્રી સંઘોના પરમશ્રદ્ધેય બનેલા... શિરોલી શ્રી સીમંધરધામની ઐતિહાસિક અંજનશલાકા સહિત ૧૬ અંજનશલાકા તથા લગભગ ૪૦ પ્રતિષ્ઠાઓ.... સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ અર્થેસાપુતારામાં શ્રીગજાભિષેક જૈનતીર્થના માર્ગદર્શકઆશીર્વાદદાતા. શ્રી ગૌતમસ્વામીના જાપમાં અને ચતુર્વિધ શ્રી સંઘના ઉત્કર્ષની શુભ ભાવનામાં રમતા રમતા અદ્ભુત સમાધિમૃત્યુને વરેલા.
સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા.! આપશ્રી ની કૃપાનું સર્જન...આપશ્રીને સમર્પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org