________________
૭૦ કોડા કોડીથી ભાગવાનું કહ્યું છે જ્યારે પંચસંગ્રહમાં ઉત્કૃષ્ટસ્થિતિને ભાગવાનું કહ્યું છે. આટલો તફાવત પણ નીચે મુજબ વ્યાખ્યા કરવાથી દૂર થઈ શકે છે.
પંચસંગ્રહકારે “સેતાલુસો કહ્યું છે. એટલે કે શેષ પ્રકૃતિઓની જઘન્ય માટે ઉત્કૃષ્ટને ભાગવાનું કહ્યું છે. એમાં ‘સ્વઉત્કૃષ્ટને એવો ઉલ્લેખ કર્યો નથી. એટલે ઉભયગ્રન્થની સંગતિ થાય એ મુજબ વ્યાખ્યા કરી શકાતી હોવાથી અહીં ‘ઉત્કૃષ્ટ' પદથી “સ્વોત્કૃષ્ટ’ ન લેતાં “વર્ગોત્કૃષ્ટ” લેવી. વળી દેવદ્વિકની ઉત્કૃષ્ટ ૧૦ કોડા કોડી હોવા છતાં વૈક્રિયદ્ધિકની સાથે જ એનો ઉલ્લેખ વૈક્રિય ૬ તરીકે કર્યો હોવાથી એનો જઘન્ય સ્થિતિબંધ ૧૦ સાગરોપમ - Pls ન લેતાં ૨૦ સાગરોપમ - Pls લેવાય છે. તો આના દ્વારા જ શું એવું સૂચન ન માની શકાય કે અહીં ઉત્કૃષ્ટ એટલે ‘વર્ગોત્કૃષ્ટ' લેવાની છે.
શંકા : જ્ઞાના૫ નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોડા કોડી છે અને મોહનીયનો ૭૦ કોડા કોડી. એટલે સામાન્યથી દરેક સ્થિતિબંધમાં ૩: ૭ નો ક્રમ જળવાઈ રહે છે. તેમ મનુષ્ય ગતિનો ૧૫ કોડા કોડી અને પંચેન્દ્રિય જાતિનો ૨૦ કોડા કોડી ઉત્કૃષ્ટ હોવાથી ૩:૪ ક્રમ પણ આ બે વચ્ચે જળવાઈ રહેવો જોઈએ. એટલે એકેન્દ્રિય વગેરેમાં મનુષ્યનો 35 સાગરોપમ અને પંચેન્દ્રિય જાતિનો સાગરોપમ બંધ માનીએ તો જ એ ક્રમ જળવાતો હોવાથી વર્ગોત્કૃષ્ટ લેવું યોગ્ય નથી, કેમકે એમાં મનુષ્યગતિનો 3 સાગરોબંધ માનવો પડવાથીએ પંચેન્દ્રિય જાતિને સમાન થઈ જાય છે.
સમાધાનઃ આ રીતે તર્કથી જ જો વિચાર કરવો હોય તો તો વર્ગોત્કૃષ્ટ લેવી જ યોગ્ય ઠરે છે. જ્ઞાનાને મોહનીય વચ્ચે જે સામાન્યથી દરેક સ્થિતિબંધ કાળે ૩૪૭ નો કમ જળવાઈ રહે છે એમાં કારણ એ છે કે મોહનીયના ૭૦ કોડા કોડી બંધકાળે જ્ઞાના નો ૩૦ કોડા કોડી ને જ્ઞાના ના ૩૦ કોડા કોડી બંધકાળે મોહનીયનો ૭૦ કોડા કોડી બંધ સામાન્યથી થાય છે. એક જ વર્ગની અન્યાન્ય ઉત્તરપ્રકૃતિઓ માટે આવું નથી. મનુષ્ય ગતિનો ૧૫ કોડા કોડી બંધ થાય ત્યારે પંચેન્દ્રિય જાતિનો ૨૦ કોડા કોડી બંધ થાય એવું નથી. ત્યારે તો પંચેન્દ્રિય જાતિનો પણ ૧૫ કોડા કોડી જ બંધ થાય છે. (વધુમાં વધુ તફાવત Pla નો જ હોય છે, અને જ્યારે પંચેન્દ્રિય જાતિનો ૨૦ કોડા કોડી બંધ હોય ૨૨૦
શાક ગ્રન્થ પર ટીપ્પણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org