________________
મળે છે. બીજા ભાગના પુનઃબે ભાગ પડે છે. એકભાગ કષાયમોહનીયને અને બીજે નોકષાયમહનીયને મળે છે. કષાયમહનીયને મળેલ ભાગના ૧૬ભાગ પડે છે અને અનંતા, ક્રોધ વગેરે ૧૬ પ્રકૃતિઓને એક-એક ભાગ મળી જાય છે. નોકષાયના ભાગે આવેલા દલિકના પાંચ ભાગ પડે છે. હાસ્ય કે શોકમાંથી જે બંધાતી પ્રકૃતિ હોય તેને એક ભાગ, રતિ કે અરતિમાંથી જે બંધાય તેને એક ભાગ, ભયને એક ભાગ, જુગ, ને એક ભાગ અને બધ્યમાન વેદને એક ભાગ મળે છે.
આમાં સર્વપ્રથમ મિથ્યાત્વમોહનીય અને ચારિત્રમોહનીય એમ જે બે ભાગ પડ્યા તે એક સરખા નથી હોતા. કિન્તુ, મિથ્યાત્વમોહનીયને મળેલો ભાગ ઘણો નાનો હોય છે, જેથી બીજા ભાગના અનેક પેટાવિભાગ થઈ જવા છતાં અનંતાનુબંધી લોભને મળેલ ભાગ કરતાં મિથ્યાત્વને મળેલ ભાગ માત્ર વિશેષાધિક જ હોય છે,સંખ્યાતગુણ નહીં. એટલેજ કમ્મપયડીના ચૂર્ણિકારે સર્વઘાતી દલિકના વિભાજનમાં, અડધો ભાગ દર્શનમોહનીયને અને અડધો ભાગ ચારિત્ર મોહનીયને મળે છે, એમ ન કહેતાં એક ભાગ દર્શનમોહનીયને અને એક ભાગ ચારિત્રમોહનીયને મળે છે એમ કહ્યું છે.
મોહનીયના ભાગે જે દેશઘાતી દલિક આવે છે તેના પણ બે ભાગ પડે છે. એક કષાયમોહનીયને મળે છે. બીજોનોકષાયમોહનીયને...કષાયમોહનીયના ૪ ભાગ પડી ૪ સંજ્વલનને મળી જાય છે. નો કષાયમોહનીયને મળેલા ભાગના ઉપર મુજબ પાંચ ભાગ પડે છે.
82) પ્રશ્ન: નામ કર્મની પ્રદેશવહેંચણી સમજાવો...
ઉત્તરઃ ગતિ, જાતિ, શરીર, સંઘાતન, બંધન, સંસ્થાન, ઉપાંગ, સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ,ઉદ્યોત, ખગતિ, ત્ર-સ્થાવર, બાદર-સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત, પ્રત્યેકસાધારણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુભગ-દુભગ, સુસ્વર - દુઃસ્વર, આદેય-અનાદેય, યશ-અયશ, નિર્માણ અને જિનનામકર્મ. આ૪૨ માંથી જેટલી પ્રકૃતિઓ બંધાતી હોય એટલા ભાગ પડે છે. અને આ જે ક્રમ લખ્યો છે એ જ નામકર્મમાં પ્રદેશવહેંચણી
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org