________________
પ્રકૃતિ બાંધતા જ નથી.) અંતઃ કોકો થી ૧૦ કોકો સુધી એકે.નો જઘડરસબંધ થવાની આ વાત સંજ્ઞીજીવો માટે જાણવી.) એ જ રીતે એકે. વગેરે જીવો પણ સંજ્ઞી જેટલો જ જઘરસબંધ સ્વપ્રાયોગ્ય મધ્યમ સ્થિતિબંધ સાથે કરે છે. આશય એ છે કે એક જીવને નામકર્મનો જ સ્થિતિબંધ 3 સાગરો–Pla (ધારોકે ૧૯૦૦) છે અને ઉત્કૃસ્થિતિબંધ સા. (ધારોકે ૨૦૦૦) છે. તો એકે જીવ ૧૯૦૦ થી ૧૯૧૦ જેવા સ્થિતિબંધ યોગ્ય વિશુદ્ધિમાં માત્ર પંચે નામકર્મ જ બાંધે છે, અને ૧૯૯૧ થી ૨૦૦૦ સુધી ના સ્થિતિબંધ યોગ્ય સંક્લેશમાં માત્ર એકે, નામકર્મ જ બાંધે છે. વચલા ૧૯૧૧ થી ૧૯૯૦ જેવા મધ્યમસ્થિતિબંધ દરમ્યાન એકે ને પંચે. બન્ને બાંધે છે. (એ જ રીતે બેઈ. વગેરે નામકર્મ પણ બાંધે છે.) આ પરાવર્તમાન સ્થિતિઓમાંથી કોઈપણ સ્થિતિ મધ્યમ પરિણામે બંધાતી હોય ત્યારે એકે જાતિનામકર્મનો જઘ. રસબંધ થાય છે. આ જઘરસબંધ, સંજ્ઞીજીવ જે જઘન્યરસબંધ કરે છે એને તુલ્ય જ હોય છે. માટે એકેન્દ્રિયજીવો પણ જઘન્યરસબંધના સ્વામી છે. આ જ રીતે બેઇ. વગેરે જીવો પણ પોતાના જઘન્ય ( સા. – Pls) તરફના અત્યંત વિશુદ્ધિવાળા સ્થિતિબંધ સ્થાનો અને પોતાના ઉત્કૃષ્ટ (સાગરો.) તરફના અત્યંત સંક્લેશવાળા સ્થિતિબંધસ્થાનોને છોડીને મધ્યમ સ્થિતિબંધસ્થાનોમાંના કોઈપણ સ્થિતિબંધસ્થાનને મધ્યમ પરિણામે બાંધતી વખતે સંજ્ઞીતુલ્ય જઘન્ય રસબંધ કરી શકે છે. માટે આ બધા પણ જઘરસબંધના સ્વામી હોવાથી, નારકીભિન્ન દરેક જીવોને સ્વામી તરીકે જે કહ્યા છે તે સંગત જ છે.
સપ્રસંગ એકે જાતિનામકર્મના જઘ. રસબંધ અંગે થોડી વાત કરી. હવે પાછા આતપનામકર્મના જઘ. રસબંધની પ્રસ્તુત વાત પર આવીએ. એનો જઘન્યરસબંધ ઈશાનાન્તદેવોને સ્વપ્રાયોગ્ય વિશુદ્ધિએ કહ્યો છે, એ સકારણ આપણે વિચારી ગયા. અન્યત્ર એ ઈશાનાન્તદેવની માફક પંચે. તિ તથા મનુષ્યને પણ કહ્યો છે. આની સંગતિ તો થઈ શકે જો એ મત, પૂર્વે કરેલી અસત્કલ્પના મુજબ, જેમ ઈશાનાન્તદેવને ૮૯૯ સુધી પંચે. અને ૯૦૦ થી પંચે. તથા એકે. બન્ને બંધાય છે. તેમ મનુષ્યાદિને પણ ૮૯ સુધી માત્ર પંચે. એક જ રસબંધક
૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org