________________
૩૫
નોખી માટીનો માનવી
૧૬૪
‘વિકલાંગ એ અશક્ય નથી. શરીરનું કોઈ અંગ યિાશીલ ન
હોય, એનો અર્થ એવો સહેજે નથી કે એ વ્યક્તિ અશક્ત, અસહાય કે નિર્બળ છે.
જિમ બ્રિનોટનો આ જીવનમંત્ર હતો. પોતાના પુરુષાર્થથી એણે આ જીવનમંત્ર સ્વજીવનમાં સિદ્ધ કરી બતાવ્યો.
કોણ જાણે કેમ, પણ બાલ્યાવસ્થાથી જ બ્રિનોટને અશ્વ પર અગાધ પ્રેમ હતો. બીજાં બાળકો નાની વયે રમકડાંથી ખેલતાં હોય, ત્યારે એ ઘોડાને પંપાળવા અને એની સાથે ગેલ કરવા દોડી જતો. બીજાં બાળકો સાઇકલ-સવારી કરવાની હઠ કરતા હોય, તે ઉંમરે જિમ ઘોડેસવારી ક૨વાની જબરી હઠ લેતો હતો. એનાં માતાપિતાને પણ આશ્ચર્ય હતું કે આ બાળકને અશ્વોનું આટલું બધું અદમ્ય આકર્ષણ કેમ છે? પરંતુ એવામાં એકાએક બાળક બ્રિનોટ પર પક્ષાઘાતનો હુમલો થયો અને એના બન્ને ગ પક્ષાઘાતને કારણે નિધ્ધિ થઈ ગયા. એની કરોડરજ્જુ પર પણ અસર થઈ. એને પરિણામે એને પીઠમાં અપાર પીડા થવા લાગી, પણ આ પક્ષાઘાત કે પીડાની પરવા કરે કોણ ? આ બાળકને તો પુનઃ ધોડેસવારી કરવી હતી. પહેલાં એણે પુનઃ સ્વાસ્થ્ય મેળવ્યું. એ પછી લાકડાની ઘોડીના સહારે ધીરે ધીરે ડગ ભરવા લાગ્યો. સમય જતાં ચાલવા લાગ્યો. પણ જેવું ચાલવાનું શરૂ કર્યું કે એને તત્કાળ એના પ્યારા અશ્વો યાદ
આવ્યા.
જ્યાં બંને પગ લકવાગ્રસ્ત હોય, ત્યાં ઘોડેસવારી કરવી કઈ રીતે ? પરંતુ જિમ બ્રિનોટનું મન મક્કમ હતું. એણે પક્ષાઘાતવાળા પગે ઘોડા પર
~*
X
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org