SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ આજ સુધી પેલાએ કૉલમનના ઘરની સ્વચ્છતા જાળવવા માટે અથાગ મહેનત કરી હતી, એને ભૂલી કઈ રીતે શકાય ? એ સાચું કે કેરોલ ચેલામે વેતન લઈને કામ કર્યું હતું. પણ એનો અર્થ એ નથી કે એ એકાએક લકવાગ્રસ્ત બની જાય અને જાતે ચાલી શકે તેવી ન હોય, ત્યારે એની વેદના સંવેદનાની કોઈ ફિકર કરવી નહીં અને એની કશી ચિંતા કરવી નહીં. કેન કૉલમનને આ અકસ્માતની જાણ થતાં એણે અને એની આસપાસના બીજા પડોશીઓએ એકઠાં થઈને વેલામની ચિંતા કરવાનું શરૂ કર્યું. પૈસા લઈને ઘરમાં સાફસૂફી કરનારની ચિંતા કરીને આવી માથાકૂટ કરવી જોઈએ નહીં એવી ઘણાએ સલાહ આપી. કોઈકે તો સીધેસીધું સ્વાર્થી ગણિત મૂક્યું કે હવે એ કામ કરી શકે તેમ નથી, માટે એને ભૂલીને નવી નોકર બાઈને રાખી લેવી જોઈએ. કેન કૉલમન જુદી માટીનો ઘડાયેલો હતો. એણે અને સાથી પડોશીઓએ ભેગા મળીને થેલામને ડૉક્ટરી સારવાર માટે તથા એના જીવનનિર્વાહને માટે વીમાની રકમ આપવાની આનાકાની કરતી વીમા કંપની પર દબાણ પણ કર્યું અને અંતે એને વીમાની રકમ અપાવી. પરંતુ, મહેનતુ વેલામને માટે હજી મુસીબતો તો ઊભી જ હતી. એની પાસે ફિઝિયોથેરપીની સારવાર માટે કોઈ રકમ નહોતી તેમજ વ્હીલચેર પર જીવન બસર કરતી એની રે કોઈ દેખભાળ રાખે તેવી વ્યક્તિની જરૂર હતી, પણ તેને આપવા માટે કોઈ રકમ નહોતી. આમ તો યેલામ ઘરકામ કરતી હતી, પરંતુ કૉલમનને એના તરફ ભારે હમદર્દી હતી. આ હમદર્દીનું એક કારણ એ હતું કે કૉલમન પોતે વર્ષો પહેલાં લકવાની અસર પામ્યો હતો અને એનાથી થતી પરેશાની, હતાશા, મૂંઝવણો અને ડગલે ને પગલે આવતી મુસીબતોનો એને જાતઅનુભવ ‘હતો. એ માત્ર બાવીસ વર્ષનો હતો ત્યારે પોતાના મિત્રોની સાથે માઉન્ટ વ્હિટની પર આરોહણ કરવા ગયો હતો અને ત્યાં એ એકાએક બીમાર પડ્યો. એ સમયે અમેરિકાના લોસ એન્જલસ વિસ્તારમાં પોલિયો ફાટી અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy