________________
પડ્યું. ત્રણ ત્રણ વખત મોતના મોંમાં જવા જેવા ખોપરી પરના ઑપરેશન પછી સામાન્ય માનવી તો દડાને જોવાની હિંમત પણ ન કરે, બૅટને બાજુએ મૂકી દે અને ક્રિકેટમાંથી સદાને માટે નિવૃત્તિ લઈ લે !
પરંતુ નરીમાન કોન્ટ્રાક્ટર આવો માનવી ન હતો. ભયથી ભાગી જવામાં માનતો ન હતો. એ ફરી ક્રિકેટના મેદાન પર પાછો આવ્યો. ઈ. સ. ૧૯૬૩ના નવેમ્બરમાં તો ગુજરાતની ટીમ તરફથી રણજી ટ્રોફીમાં ખેલવા લાગ્યો. અગાઉ જેટલાં જ હિંમત અને આત્મવિશ્વાસથી ગોલંદાજોનો સામનો કરવા લાગ્યો. ગુજરાતની ટીમના સુકાની તરીકે સુંદર કામગીરી બજાવી.
ઈ. સ. ૧૯૬૮-૬૯માં તો ગુજરાતની ટીમના સુકાની તરીકે નરીમાન કોન્ટ્રાક્ટરે કમાલ કરી. આ સમયે રૂસી સૂરતી ઑસ્ટ્રેલિયા જતાં ગુજરાતને એક કાબેલ ઑલરાઉન્ડરની ખોટ પડી હતી, આમ છતાં નરીમાન કોન્ટ્રાક્ટરે ગુજરાત રણજી ટ્રોફી ટીમમાં નવું જોશ જગાવ્યું. સૌરાષ્ટ્ર, વડોદરા અને મહારાષ્ટ્રની ટીમને હાર આપી. મુંબઈની મજબૂત ટીમ સામે નરીમાન કોન્ટ્રાક્ટર સાત કલાકથીય વધુ સમય ઝઝૂમ્યા અને ૧૩૯ ૨ન કર્યા. મુંબઈને હાથવેંતમાં લાગતો વિજય છીનવી લીધો. મૅચ ડ્રો ગઈ. મુંબઈને પ્રથમ દાવની સરસાઈ પર પોઇન્ટ મેળવવાનો વારો આવ્યો. પચીસ પોઇન્ટ ધરાવતા મુંબઈની બરાબરી કરવામાં ગુજરાતને એક જ પોઇન્ટ ઓછો પડ્યો !
જીવલેણ અકસ્માતમાંથી ઊગરીને પાછા ફરેલા નરીમાન કોન્ટ્રાક્ટર ઈ. સ. ૧૯૬૩-૬૪થી ૧૯૭૦-૭૧ સુધી રણજી ટ્રોફીમાં ખેલ્યા. એમણે ઘણી સદીઓ પણ કરી. આ આઠ સીઝનમાં ૧૭૪૦ રન કર્યા, નરીમાન કોન્ટ્રાક્ટરનું નામ ટેસ્ટમાં ઓપનિંગ ખેલાડી તરીકે પણ વિચારાવા લાગ્યું હતું. આવા કોન્ટ્રાક્ટરને એક વાર મેં પૂછ્યું,
“ગંભીર અકસ્માત પછી તમારી સામે દડો વીંઝાય ત્યારે તમને કેવી લાગણી થાય છે ?”
3651
Jain Education International
For Private & Personal Use Only
o | સ&le Facebe
www.jainelibrary.org