SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) હુંડક=સર્વ અવયવ લક્ષણ-પ્રમાણ વિનાનાં હોય. ૨૦ વર્ણાદિ જેના ઉદયે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સારા નરસા મળે. વર્ણનામક પાંચ પ્રકારે :- (૧) કૃષ્ણ (ર) નીલ (૩) રકત (૪) પીત (૫) શ્વેત. ગંધનામકર્મ ૨ પ્રકારે- ' (૧) સુરભિ (૨) દુરભિ. રસનામકર્મ-પ (૧) તિફત. કડવો) (૨) કટુ (તીખો) (૩) કષાય તૂરો, બહેડા-આમળાદિનો), (૪) આસ્લ (ખાટો), (૫) મધુર. (ખારાનો આમાં સમાવેશ) સ્પર્શનામકર્મ ૮ પ્રકારે-(૧) કર્કશ (૨) મૃદુ (૩) ગુરુ (૪) લઘુ (૫) શીત () ઉષ્ણ (૭) સ્નિગ્ધ (૮) રૂા. ૪ આનુપૂવી-નરકાનુપૂર્વી, તિર્યંચાનુંમનુષ્યાનું, ને દેવાનુપૂર્વી. ભવાંતરે વિગ્રહગતિથી વચમાં ફંટાઈને) જતા જીવને વાંકા ફંટાવાનું બળદના નાથની જેમ) કરે તે આનુપૂર્વી.; ૨ વિહાયોગતિ ખગતિ (ચાલવાની ઢબ)-(૧) શુભ ખગતિઃ -હંસ-હાથીવૃષભની સમાન ચાલ. (૨) અશુભ. ઊંટ ગધેડા-નીડના જેવી. - ૮ પ્રત્યેક પ્રકૃતિ :-(૧) અગુરુલઘુ નામકર્મ-એના ઉદયથી શરીર એટલું ગુરુ ભારે કે લઘુ હલકું નહિ, પણ અગુરુલઘુ મળે. (૨) ઉપઘાત - આ કર્મથી પોતાના અવયવથી પોતે જ હણાય એવા અવયવ મળે દા.ત. પડજીભી, ચોરદાંત, છઠ્ઠી આંગળી. (૩) પરાઘાતઃ આના ઉદયથી જીવ બીજાને ઓજસથી ઢાંકી દે એવી મુખમુદ્રા મળે. (૪) શ્વાસોશ્વાસઃ-આથી શ્વાસો.ની લબ્ધિ શકિત) મળે. (પ) આતપઃપોતે શીત છતાં બીજાને ગરમ પ્રકાશ કરે તેવું શરીર મળે, જેમકે સૂર્યના વિમાનના રત્નોનું શરીર. (અગ્નિમાં ગરમી ઉણસ્પર્શના ઉદયથી, અને પ્રકાશ ઉત્કટ લાલવર્ણના ઉદયથી છે.) () ઉદ્યોત=જેના ઉદયે જીવનું શરીર ઠંડો પ્રકાશ આપે તે દા.ત. ઉત્તરવૈક્રિય દવાદિએ નવું બનાવેલું વૈક્રિય) શરીર, ચંદ્રાદિનાં રત્ન, ઔષધિ વગેરે. (૭) નિર્માણનામકર્મ-સુથારની જેમ શરીરમાં ચોક્કસ સ્થાને અંગોપાંગને ગોઠવે તે. (૮) જિનનામકર્મ-કેવળજ્ઞાની દશામાં જેના ઉદયે અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ અતિશયયુકત અને સુરાસુર-માનવપૂજય બની ઘર્મશાસન પ્રવર્તાવવાનું મળે તે. ૧૦-૧૦ પ્રકૃતિ–સ-સ્થાવર દશકની :- (૧) ત્રસનામકર્મ જેનાથી તડકામાંથી છાંયડામાં વગેરે સ્વેચ્છાએ હાલી શકવાપણું ગમનાગમન-શકિત મળે. સ્વેચ્છાએ તે કરવાનું અસામર્થ્ય દેનાર સ્થાવરનામકર્મ (એકેન્દ્રિય જીવોને) (૨) બાદર =જેના ઉદયે એક યા અનેક શરીર ઈન્દ્રિયગ્રાહ્ય બને તે . શરીરજથ્થો પણ તેવો નહિ તે સૂક, ઉદયથી (૩) પર્યાપ્ત =જેના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકે છે. ન કરી શકે તે અપર્યાપ્ત ઉદયથી. પર્યાપ્તિ , આહાર-શરીર-ઈન્દ્રિય-શ્વાસોચ્છવાસ-ભાષા-મન લેવા-બનાવવાની શકિત). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004952
Book TitleJain Dharmna Karm Siddhantnu Vigyan
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri
PublisherShahpuri Jain Sangh Kolhapur
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy