SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ BALASASALALALALALALALA L ALALALALALALALASALALA ફેંસાધુ-સાધર્મિકની સાક્ષીએ કરવાં તે વ્યવહાર શુદ્ધ ધર્મ છે. તેથી માત્ર છે ફુપ્રણિધાન ચાલે નહીં. સાક્ષી પૂર્વક કરાયેલું પચ્ચકખાણ અખંડિત રીતે હું હૈ પળાય છે. ક્ષયોપશમ વધે છે. બીજાનો ટેકો મળે છે. બીજાઓને કરવા હું પ્રેરણા મળે છે. સામાન્ય આપત્તિમાં પણ મક્કમતાથી પળાય છે. શું હૈ પચ્ચકખાણ કરવાથી આ આગારોનો લાભ મળી શકે છે અને તેથી તેવા હું Sઅનિવાર્ય સંયોગોમાં પચ્ચકખાણના ભંગથી બચી શકાય છે. માત્ર પ્રણિધાનમાં આગારો હોતા નથી. પોતાના પરિણામ મંદ થયા હોય તો પણ લોકલાજે મક્કમ થવાય. આમ ભાવને દઢ બનાવવા અને વ્યવહાર ધર્મના પાલન માટે પચ્ચખાણ કરવું આવશ્યક છે. પ્રશ્ર - પાણસ્સના છ આગાર છે તે પાણી અચિત્ત છે તો પાણીના આગાર શી રીતે ? પાણીમાં જે ચીકાશ, કે દાણા અથવા અનાજનો અંશ આવે તે આહાર બંધ હોય, વિગઈ હોય કે ટંક હોય તેના આગારમાં આવે ને ? ઉત્તર : બધાને અંતે એટલે અદ્ધા, વિગઈ અને આહારના અંતે પાણસ્સનું પચ્ચખાણ આવે તેથી પાણીમાં તે તે અંશ છે, તેથી પાણીની પ્રધાનતાથી પાણીના આગારમાં તે લીધા છે. પરંતુ અંતે છે એટલે પૂર્વના ત્રણે પચ્ચકખાણના આગાર રૂપે સમજવા. તેમાં અધ્ધાના આગાર રૂપે જ્યારે નવકારશી કે પોરિસિ ચોવિહાર કરી ઉપરનું કાળ પચ્ચખાણ પોરિસિ કે સાઢપોરિસિ તિવિહાર કરે ત્યારે ત્યાં સુધી ત્રણ આહાર ત્યાગ છે, તેથી તે પાણીમાં અંશ રૂપ આવે તો વિગઈ પચ્ચકખાણનો ભંગ ન થાય તે માટે આગાર છે અને એકાસણું કે બેસણારુપ પચ્ચકખાણમાં તે આસન સિવાયના ટાઇમમાં પાણી પીવામાં પાણી ભેગા તે અંશો આવવાથી તે વખતે અશન, સ્વાદિમ કે ખાદિમનો ત્યાગ હોવાથી પચ્ચકખાણનો ભંગ ન થાય તે માટે પણ આગાર છે. 1 . ( ૮૯ સદી માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy