SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ EDERERER ISACACATACASACACA અષ AAAA છલનારુપ બને છે અને પ્રમાણભૂત રહેતું નથી. એમ બપોરે ભોજન બાદ તિવિહાર કરવાનો ન હોવા છતાં, ઉપયોગ વગર, ઓઘ સંજ્ઞાથી રોજની ટેવ મુજબ તિવિહાર કરે તો તે પણ અપ્રમાણ જાણવું. * ચાલુ ઉપયોગ કાળમાં અચાનક અલ્પકાલીન અનુપયોગ થઇ જાય તે અનાભોગ કહેવાય. પરંતુ દીર્ઘકાલીન અનુપયોગને પ્રમાદ કહેવાય છે. અને એ દોષરૂપ છે. માટે વ્રત પચ્ચક્ખાણને વારંવાર યાદ કરવા જોઇએ. જેથી દીર્ઘકાલીન અનુપયોગ રૂપ પ્રમાણ ટળી શકે. માટે ૮ પ્રકારના પ્રમાદમાં જે અનાભોગ લીધો છે તે આગાર અપવાદરૂપ ન સમજવો. પણ દીર્ઘ કાલીન અનુપયોગ રુપ પ્રમાદ સમજવો. પ્રશ્ન - પચ્ચક્ખાણ અને પ્રણિધાનમાં શું તફાવત ? મનોમન નિશ્ચય કરી લેવા રૂપ પ્રણિધાનથી કેમ ન ચાલે ? પચ્ચક્ખાણ લેવું જરૂરી કેમ ? ઉત્તર : પ્રણિધાન કેવળ ભાવરૂપ છે. પચ્ચક્ખાણ દ્રવ્ય-ભાવ ઉભય રુપ છે. વ્યવહારમાં દ્રવ્યને ભાવનું કારક-૨ક્ષક-પોષક માનેલું છે. તેથી બધા વ્યવહાર ધર્મો પાંચની સાક્ષીએ કરવાના હોય છે. અરિહંતસિદ્ધ-સાધુ-દેવ અને આત્મસાક્ષી. પોતાનો ભાવ ઉપયોગ હોવો તે આત્મસાક્ષી. જિનમૂર્તિ કે સ્થાપનાજી સમક્ષ વ્રત-પચ્ચક્ખાણ કરવાં તે અરિહંત સાક્ષી. સિદ્ધોની સાક્ષી આપણે ભાવથી વિચારવાની છે. તે આ રીતે : સિદ્ધોનું જ્ઞાન સર્વ વ્યાપ્ત હોવાથી આપણી પચ્ચક્ખાણ કરવાની ક્રિયાને પણ તેઓ જુએ છે, જાણે છે. દૂર રહેલા પણ સમિતી દેવોના ઉપયોગથી નજીકમાં સંભાવના ધારી સાક્ષાત્ સાક્ષી માનવાની છે. એ રીતે સાધુની સમક્ષમાં વ્રત પચ્ચક્ખાણ કરવાથી સાધુ સાક્ષી.... અહીં ઉપલક્ષણથી ગુરુઓ, વડીલો અને છેવટે આપણને વ્રતભંગથી અટકાવે તેવી વ્યક્તિઓ - સાધર્મિકોની સાક્ષી અવશ્ય કરવી જોઇએ. તેથી લોચ જેવી ક્રિયા પછી ‘તુમ્હાણું પવેઇયં સંદિસહ સાહૂણં પર્વમિ’એ આદેશ માંગવાનો હોય છે. માટે દરેક પ્રકારના પચ્ચક્ખાણ અને ધર્મક્રિયા અવશ્ય Jain Education International ८८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy