SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ AURORXARXAURORURA YNYNYRYNY RYNYNY RYNY BARRUASAURURAXAURUASI -Y2W2XAXRXAVAXRURUAR મેં કાલ પચ્ચકખાણના આગાર : હું (૫) પચ્છન્ન કાલેણઃ પચ્ચકખાણની અપેક્ષાએ કાલની ઓળખ હું હૈં સૂર્યને અવલંબીને છે. સૂર્યના કિરણો અને સૂર્ય વાદળ, પર્વત વગેરેથી હું ઢંકાયેલા હોય ત્યારે ન દેખાવાના કારણે અથવા બરાબર ન દેખાવાના હૈ કારણે, કાળ પૂરો થયો ન હોવા છતાં, અનુમાનથી કે બીજી રીતે કાળની હું શક્ય તપાસ કરવા છતાં ગેરસમજથી પચ્ચખાણનો કાળ પૂરો થયેલો છે જાણીને આહારાદિ કરે ત્યારે આ આગારથી ત્યાં પચ્ચકખાણનો ભંગ થતો નથી. અહીં પચ્ચકખાણ પ્રત્યે પૂર્ણ વફાદારી છે, પણ નિમિત્ત, કારણથી અન્યથા કલ્પના થાય છે. તેથી બાહ્યભંગ હોવા છતાં પચ્ચખાણનો વસ્તુતઃ ભંગ ન થાય તે માટે આ આગાર મૂકવામાં આવેલ છે. એ જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સંબંધી વ્રત પચ્ચકખાણોમાં દ્રવ્યાદિને ઓળખવામાં વિનકારક દ્રવ્યાદિની હાજરીથી નિર્ણય કરવામાં વિપરીતતા થાય છે. અને તેથી ધારેલ દ્રવ્યાદિ પ્રાપ્ત થયા ન હોવા છતાં પ્રાપ્ત થયેલા જણાય છે. આવા વખતે અભિગ્રહાદિ પચ્ચકખાણ પૂર્ણ થયેલા જાણી પ્રવૃત્તિ થાય તો પણ આ આગારના કારણે પચ્ચકખાણ ભંગ થતો નથી. પણ પછી જાતે કે બીજા દ્વારા ખબર પડે કે, “હું ભૂલ્યો, હજુ પચ્ચકખાણનો કાળ થયો નથી.” તો મુખમાં રહેલ થુંકી નાંખવું. નવું ખાવું નહિ. અને જ્યાં સુધી પચ્ચકખાણ કાળ પૂરો ન થાય ત્યાં સુધી ફરી પચ્ચકખાણમાં રહેવું અર્થાત્ પચ્ચકખાણ પાળવું. એ જ રીતે દ્રવ્યાદિ સંબંધી અભિગ્રહોમાં જાણવું. સૂર્યોદય થયેલ જાણીને કે સૂર્યાસ્ત નથી થયો તેવું જાણીને કાળજીથી તપાસ કરીને પ્રવર્તનારને રાત્રિભોજનનો ભંગ નથી. પરંતુ જ્યારે ખબર પડે ત્યારે સૂર્યોદય પહેલા લાવેલ, લીધેલ ચીજનો ત્યાગ કરવો. તેમ સૂર્યાસ્તની ખબર પડે તો તરત મુખમાંનું કે ભાજનમાં રહેલું પરઠવી દેવું તો રાત્રિભોજન ત્યાગના પચ્ચખાણનો ભંગ થાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy