SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ FREREDEREREDEREREDER CAEREREREREREREA CASACREAGRERERERERERS અહિં આહારનું પ્રકરણ છે. તેથી આહારના અભાવના કારણે, શારીરિક અસ્વસ્થતાના કારણે કે રોગના કારણે, સંભવિત ચિત્તની અત્યંત અસમાધિ ન થાય તે માટે અથવા થયેલી હોય તે દૂર થાય તે માટે વ્રતવિરૂદ્વ દ્રવ્યનો જાણીને ઉપયોગ કરવો પડે. તે સર્વસમાધિ (અત્યંત સમાધિ) માટે હોવાથી આ આગારથી તેની છૂટ જાણવી. આધિ (માનસિક સંકલ્પો), વ્યાધિ (શરીરના રોગ) અને ઉપાધિ (બાહ્ય પ્રતિકૂળતા)માં વ્રત પચ્ચક્ખાણના અપવાદ સિવાય બીજાની સહાય-ભાવના, આત્મબળ વગેરેથી ચિત્તની સમતા મેળવવા પ્રયાસ કરવા છતાં સમતા ન જ મળે તો અનશનીને આહાર કરવાની જેમ દવા વગેરે લેવી પડે કે તે વ્રતના અપવાદરૂપ જે માર્ગ લેવા પડે તે આ આગારથી જાણવા. * પોતાની સમાધિ માટે વ્રત પચ્ચક્ખાણમાં ન છૂટકે જે છૂટછાટ કરવી પડે તે સવ્વસમાહિવત્તિયાગાર છે. * સંઘમાં રહેલ બીજી વ્યક્તિને સમાધિ પમાડવા સંઘના મહત્ત્વના કાર્ય માટે પોતાના રાત-દિવસના શ્રમ, અશક્તિ કે અસ્વસ્થતા દૂર કરવા જે છૂટછાટ લેવી પડે તે મહત્તરાગાર છે. પોતાની સમાધિરૂપ પ્રયોજન સિવાય પોતાના જ્ઞાન-દર્શનચારિત્રની રક્ષારૂપ પ્રયોજન માટે વ્રત પચ્ચક્ખાણમાં જે છૂટછાટ લેવો પડે તે પણ મહત્તરાગાર છે. જેમકે વિહાર માટે નદી ઊતરવી પડે તે. મહત્તરાગાર અને સવ્વસમાહિવત્તિયાગાર બંનેના બબ્બે ભેદ :(૧) આગાઢ :- જેમાં કાળક્ષેપ કરી શકાય તેમ ન હોવાથી તરત આગારનો અમલ કરવો પડે તે આગાઢ. (૨) અનાગાઢ :- જેમાં કાળક્ષેપ શક્ય હોય, લાભ-નુકસાનની વિચારણા કરવાનો સમય હોય, અને બીજો માર્ગ લઇ શકાતો હોય તે અનાગાઢ. આમાં બને એટલી જયણાપૂર્વક આગારનો ઉપયોગ કરવાનો હોય છે. Jain Education International ૬૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy