SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ CAETEREAUERERER CRCRCRCRCRCRES ત્યાં અચાનક કોઇ જીવ આવેલો દેખાય ત્યારે ઉપાડેલ પગને રોકી ન શકવાથી જે વિરાધના કે પચ્ચક્ખાણ ભંગ જેવું થાય તે સહસાગાર જાણવો. અહિં ઉપયોગ હોવા છતાં અચાનક થતું હોવાથી તેનું નિવારણ પોતાના હાથ બહારની વાત છે. તેથી અશક્યપરિહાર રૂપે છૂટ છે. આ સહસાગાર પણ બધા વ્રત પચ્ચક્ખાણના આગાર રૂપે સમજવો. રાભસિકવૃત્તિ છોડીને બને તેટલી કાળજીથી દરેક કાર્ય કરવાથી સહસાત્કારથી થોડે ઘણે અંશે બચી શકાય છે. (૩) મહત્તરાગાર : મહત્તર એટલે સંઘાદિનું અતિ મોટું કાર્ય. તેના કારણે આગાર તે મહત્તરાગાર કહેવાય છે. જો પચ્ચક્ખાણમાં છૂટ લીધા વગર પણ અર્થાત્ આહારાદિ કર્યા વગર પણ તે કાર્ય કરી શકે તેમ હોય તો તે રીતે જ કરવું. પણ છૂટ લીધા વિના તે કાર્ય થઇ શકે તેમ ન હોય તો પચ્ચક્ખાણ પૂર્ણાહૂતિ પૂર્વે પણ આહારાદિ કરીને તે કાર્ય કરવું. સંઘના-દેવદ્રવ્યાદિના રક્ષણ માટે પ્રતિજ્ઞામાં અપવાદરૂપ કોઇ કાર્ય કરવું પડે તે મહત્તરાગાર. જેમકે નમુચિની હિંસા કર્યા સિવાય (નાશ કર્યા સિવાય) શ્રમણસંઘનું રક્ષણ થાય તેમ ન હતું તેથી વિષ્ણુ મુનિએ શ્રમણસંઘના રક્ષણ માટે કરેલી આ હિંસા મહત્તરાગાર રૂપ થઇ. મહત્તરનો બીજો અર્થ - સ્વીકારેલ વ્રત પચ્ચક્ખાણ અને સાંયોગિક પ્રાપ્ત થયેલ આરાધના માર્ગ આ બેમાં જે મહાન હોય તે મહત્તર. તેના નિર્વાહ માટે નાના-અલ્પનિર્જરાવાળા વ્રત પચ્ચક્ખાણમાં અપવાદરૂપ આગાર તે પણ મહત્તરાગાર કહેવાય છે. જેમકે સમ્મતિતર્ક વગેરેના અભ્યાસકાળે બીજી રીતે નિર્વાહ થઇ શકે તેમ ન હોય તો આધાકર્માદિનું ગ્રહણ કરવું. અહિં મહત્તરના ઉપલક્ષણથી મહત્તમ પણ સમજી લેવું. (૪) સવ્વસમાહિવત્તિયાગાર - સર્વ-અંત્ય કે અત્યંત. સમાધિ-ચિત્તની સ્વસ્થતા. વત્તિયા-નિમિત્તક. Jain Education International ૬૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy