SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ * SAURURSACAURURUASA RUA -PASARRURURURLAURERLAKU હે પ્રશ્ન-૭. અદ્ધા પચ્ચકખાણના સ્થાનમાં નવકારશી, પોરસી આદિ હૈ હભેદ સામાન્યથી બતાવ્યા છે તેથી એ બધા એકાસણા આદિમાં થઈ શકે છે એવો અર્થ ન કરતાં, સંપ્રદાયથી તે રીતે પચ્ચકખાણ થતું ન હોવાથી હું યથાસંભવ જ અન્વય કરવો જોઇએ અર્થાત્ એકાસણા વગેરે સાથેનું હું નવકારશી પચ્ચકખાણ ન થવું જોઇએ. $ ઉત્તર-૭. આ વાત નથી. કારણ કે (૧) જો ન જ થતું હોત તો તેનો સ્પષ્ટ નિષેધ કરત. (૨) ઉપવાસ સાથે પણ અધ્ધા પચ્ચકખાણના બીજા સ્થાનમાં નવકારશી બતાવી છે. તેથી એકાસણા વગેરેમાં પણ નવકારશી થઈ શકે છે એ સ્પષ્ટ છે. નવકારશી સાધુ અને શ્રાવક બન્નેને ચોવિહાર જ હોય જ્યારે પોરિસી, સાઢપોરિસી સાધુને તિવિહાર કે ચોવિહાર હોય. જ્યારે શ્રાવકને તિવિહાર, ચોવિહાર કે દુવિહાર પણ હોય. તાત્પર્ય એ છે કે પોરિસી કે સાઢપોરિસી પચ્ચકખાણ કરનાર પણ જરૂર પડે નવકારશીએ પાણી વાપરી શકે. તેથી નવકારશી ચોવિહાર, પોરિસી, સાઢપોરિસી તિવિહાર એ રીતનું પચ્ચકખાણ થઈ શકે છે. પ્રશ્ન-૮. પોરિસી કે સાઢપોરિસી પચ્ચખાણમાં શ્રાવકની જેમ સાધુને દુવિહાર કેમ નહિ ? ઉત્તર-૮. સાધુને સામાન્યથી ખાદિમ, સ્વાદિમ લેવાનું હોતું નથી. તેથી તેમને માટે દુવિહારનું પચ્ચકખાણ ગમ્યું નથી. પણ સાધુને બપોરનું દુવિહાર હોઈ શકે છે. અર્થાત્ સાધુને બપોરે દવા, સૂંઠ રૂપ સ્વાદિમ લઈ શકાય. પ્રશ્ન-૯, બીજા બધા પચ્ચકખાણમાં પચ્ચખ્ખામિ' પદ આવે છે તો પાણસ્સના પચ્ચકખાણમાં કેમ નહિ ? ઉત્તર-૯. (૧) પાણસ્સનું જાદું સ્થાન હોવાથી “પાણ પચ્ચખામિ” એ અધ્યાહારથી સમજવું. (૨) અહીં પાણીનો ત્યાગ કરું છું એવો અર્થ ન કરતાં વ્યાખ્યાથી સચિત્ત પાણીનો ત્યાગ કરું છું એવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy