SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ KERER SAEREACHERSACREDEREREA બાદ ૧૪ નિયમના સંક્ષેપ માટે ચોથા ઉચ્ચાર સ્થાનમાં દેસાવગાસિકનું પચ્ચક્ખાણ એક ભેદે હોયછે. અને પાંચમા ઉચ્ચારસ્થાનમાં સાંજે દિવસચરિમં ચઉવિહારનું (પાણહારનું) પચ્ચક્ખાણ એક ભેદે હોય છે. અથવા તે વખતે જેને પોતાનું આયુષ્ય અલ્પ રહ્યું જાણી શેષ આયુષ્ય સુધી ચારે આહારનો ત્યાગ કરવો હોય તો ભવરમં પચ્ચક્ખાણ પણ આ પાંચમા ઉચ્ચારસ્થાનમાં અંતર્ગત છે. પ્રશ્ન-૫. ઉપવાસમાં પ્રથમ અધ્ધા પચ્ચક્ખાણ કેમ નહિ ? ક્રમભેદ શા માટે ? ઉત્તર-૫. દિવસભર માટે કોઇપણ આહારનો જેમાં સંપૂર્ણ ત્યાગ હોય તેનું પચ્ચક્ખાણ પહેલા આવે. અને અમુક કાળ માટે ત્યાગ જેમાં હોય તે પચ્ચક્ખાણ પછી આવે એવો ક્રમ છે. એકાસણા વગેરેમાં ચારેમાંથી એક પણ આહારનો આખા દિવસ માટે ત્યાગ નથી. તેથી પ્રથમ પચ્ચક્ખાણ તેમાં છે જ નહિ. અને તેથી બીજું અધ્ધા પચ્ચક્ખાણ પ્રથમ આવે છે. જ્યારે ચોવિહાર ઉપવાસમાં ચારે આહારનો સંપૂર્ણ ત્યાગ હોવાથી તે પચ્ચક્ખાણ પહેલું આવે. કોઇપણ આહારનો અમુક કાળ માટે ત્યાગ હોય એવું ન હોવાથી અધ્ધા પચ્ચક્ખાણ પછી પાણસ અને દેશાવગાસિક પચ્ચક્ખાણ જ ક્રમશઃ આવે છે. આમ આ પચ્ચક્ખાણમાં ક્રમભેદ નથી. સાંજના પચ્ચક્ખાણમાં પ્રથમ અધ્ધા પચ્ચક્ખાણ અને પછી દેશાવગાસિક પચ્ચક્ખાણ આ ઉપલક્ષણથી જાણવું. પ્રશ્ન-૬. નીવી, આયંબિલ અને એકાસણું એ નવકારશીના પચ્ચક્ખાણથી થાય કે નહિ ? ઉત્તર-૬. પચ્ચક્ખાણના સ્થાનમાં અદ્ધા વગેરે પાંચ ભેદ બતાવેલ છે તેથી કોઇપણ વિગઇ કે સ્થાન પચ્ચક્ખાણ સાથે કોઇપણ અદ્વા પચ્ચક્ખાણ થઇ શકતું હોવાથી નવકારશી સાથે પણ નીવી આદિ પચ્ચક્ખાણ સ્પષ્ટ રીતે ઘટી શકે છે. પણ આમાં ખાસ ધ્યાન રાખવું કે તપ આહારસંશા ઘટાડવા માટે છે. તેથી બને ત્યાં સુધી એ ન કરવું. ૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy