SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ LURRRRACAURUAK XAURORLAPARTAKALAURA URUARA ARRERSRUUA છે કરવું અથવા એકાશનાદિ પૂર્ણ થયે ઉપવાસાદિ કરવા તે વિષમકોટિ છે ઉપચ્ચકખાણ છે. હું કોઈ પચ્ચકખાણ ન હોય અને નવું શરૂ કરે તે અકોટિ પચ્ચકખાણ હું Sછે. આરાધક આત્મા પ્રાયઃ પચ્ચકખાણ વગર રહેતો નથી તેથી તેનું હેસાક્ષાત્ ગ્રહણ ભાષ્યકારે કર્યું નથી. છતાં પણ ઉપલક્ષણથી તે જાણવું હું હું (૪) નિયંત્રિત પચ્ચખાણ : નિયંત્રિત એટલે નિશ્ચયપૂર્વક 'પચ્ચકખાણ કરવું તે. જેમકે માંદો હોઉ કે સાજો હોઉ અથવા ગમે તેવું | વિઘ્ન આવે તો પણ અમુક વખતે મારે અમુક તપ કરવો જ. આ પચ્ચકખાણ જિનકલ્પી અને ચૌદપૂર્વધર મુનિઓના વખતમાં પ્રથમ સંઘયણી એવા સ્થવિરાદિ મુનિઓને પણ હતું. પરંતુ જિનકલ્પાદિના વિચ્છેદ સાથે આ પચ્ચકખાણ પણ વિચ્છેદ પામવાથી વર્તમાનકાળમાં થઈ શકે નહિ. કારણ કે તેવા પ્રકારના આયુષ્યનો અને સંઘયણનો અભાવ છે. અથવા નિયંત્રિત એટલે નક્કી કરેલ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવમાં અવશ્ય કરવું. જેમકે દ્રવ્યથી અમુક દ્રવ્ય અડદના બાકુળા વગેરે મળે તો જ વાપરવું. નહિ તો ઉપવાસ કરવો. ક્ષેત્રથી નવા તીર્થમાં જઈએ ત્યારે ઉપવાસ કરવો. કાલથી અમુક તિથિએ ઉપવાસ કરવો અને ભાવથી જ્યારે જ્યારે કષાયાદિ થાય ત્યારે ઉપવાસ કરવો. (૫) અનાગાર પચ્ચકખાણઃ બાવીસ આગારમાંથી અનાભોગ અને સહસાગાર એ બે છોડીને બાકીના શેષ આગાર રહિત પચ્ચકખાણ કરવું તે. કારણ કે એ બે આગાર અકસ્માતુ બને છે, બુદ્ધિપૂર્વક નહીં. આ પ્રત્યાખ્યાન પહેલા સંઘયણવાળા મુનિઓ પ્રાણાન્ત કષ્ટ આવે અથવા કોઈપણ પ્રકારે ભિક્ષા ન મળે તેવા પ્રસંગોમાં કરે છે. માટે વર્તમાનકાળમાં પહેલા સંઘયણના અભાવે તે કરવામાં આવતું નથી. (૬) સાગાર પચ્ચકખાણઃ પચ્ચખાણ કરતી વખતે ભવિષ્યના સમાધિ-સંયોગ-આપત્તિ આદિને લક્ષ્યમાં રાખી ૨૨ આગારોમાંથી યથાયોગ્ય નિયત રુપમાં રાખવામાં આવેલ છૂટ તે સાગાર પચ્ચકખાણ છે. ૫૦ | એ છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy