SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ --વિહાડકડકડકિશો mynysynnYRYYYNYNUR િિ િક િિિલકિકિSિ છે તો હવે તે નવ દ્વારને કહે છે: હું (૧) ૧૦ પચ્ચકખાણ (૪) ૨૨ આગાર (૭) ૨ ભાંગા છે (૨) ૪ વિધિ (૫) ૧૦ વિગઈ (૮) ૬ શુદ્ધિ (૩) ૪ આહાર (૬) ૩૦ નિવિયાતાં (૯) ર ફળ શ્રી દ્વાર પહેલું | પચ્ચકખાણના ૧૦ પ્રકાર (૧) અનાગત પચ્ચકખાણ : અનાગત એટલે ભવિષ્યકાળ.. અર્થાત્ ભવિષ્યકાળે જે પચ્ચકખાણ કરવાનું છે તેને કોઈ કારણસર પહેલા કરી લેવું તે. જેમકે- પર્યુષણાદિ પર્વમાં જે અઠ્ઠમ વગેરે તપ કરવાનો છે તે તપને ગુરુની, ગચ્છની સેવા વગેરે કારણે પર્યુષણ પહેલાં જ કરી લેવો. તે અનાગત પચ્ચકખાણ મુખ્યત્વે મુનિને હોય છે. (૨) અતિક્રાન્ત પચ્ચખાણઃ અતિક્રાન્ત એટલે ભૂતકાળ જે તપ પર્યુષણામાં કરવાનો છે તે તપ પર્યુષણા પુરા થયા પછી કરવો તે. તે અતિક્રાન્ત પચ્ચકખાણ પણ મુખ્યત્વે મુનિને હોય છે. અનાગત અને અતિક્રાન્તકાલના પચ્ચક્ખાણના ઉપલક્ષણથી યોગ્ય કાલે કરાતા પચ્ચખાણનું ગ્રહણ જાણવું. પ્રસ્તુતમાં યોગ્યકાલે કરાતા પચ્ચખાણને ઉપલક્ષણથી લેવાનું કારણ એ છે કે તે તો સર્વત્ર પ્રસિદ્ધ જ છે. અને તેથી તેનું કથન ન કરતાં અપ્રસિદ્ધ એવા અનાગત અતિકાન્ત પચ્ચકખાણનું કથન કરીને તેને ઉપલક્ષણથી લીધું. (૩) કોટિસહિત પચ્ચકખાણઃ તપના બે છેડા મળતા હોવાથી આ કોટિસહિત પચ્ચખાણ છે. જેમકે પહેલે દિવસે ઉપવાસ કરીને પુનઃ બીજા દિવસે પણ પ્રભાતમાં ઉપવાસનું પચ્ચકખાણ કરે તો પહેલા ઉપવાસનો પર્યન્તભાગ અને બીજા ઉપવાસનો આદિભાગ એ બન્ને ભાગરૂપે બે કોટિ સંધાવાથી તે પચ્ચકખાણ કોટિસહિત બને છે. તેમાં ઉપવાસ પૂર્ણ થયે ઉપવાસ કરવો અને આયંબિલ પૂર્ણ થયે આયંબિલ કરવું તે સમકોટિ પચ્ચખાણ છે. અને ઉપવાસ પૂર્ણ થયે એકાશનાદિ ર જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy