SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ----AURUAVASARASURUAR - રિલિજિજિબિપિકિ કિછે XAURURAUARAUAVAVACASA રેંજ કર્યો હોય તો મન નબળું પડતાં તેનો ભંગ થતાં વાર નથી લાગતી. છે તેમજ બીજાને જાણ ન કરેલ હોવાથી તેઓ પણ કલ્યાણમિત્ર બની હૈબચાવી શકતા નથી. અતુલ મનોબળને ધારણ કરનાર તીર્થંકરદેવો પણઠું ઉંચારિત્રનો માત્ર માનસિક સંકલ્પ ન કરતાં વિધિપૂર્વક ચારિત્રનું ગ્રહણ હું કરે છે એ બતાવે છે કે વ્યવહારમાર્ગનું પાલન દરેકે દરેક જીવે કરવા યોગ્ય છે. છે આ પચ્ચકખાણ એ આચારરૂપ છે. ભાવ તો તેનાથી ઉત્પન્ન થનાર છે છે. વ્યવહાર નય ભાવને જરૂરી માનવા છતાં ભાવની ઉત્પત્તિ, રક્ષણ અને વર્ધનના કારણભૂત આચારને વ્યવહારરૂપે પ્રમાણભૂત માને છે. ભાવ ન હોય કે જતો રહ્યો હોય છતાં આચાર શુદ્ધ હોય તો વ્યવહારનય તે વાત નભાવે છે. માટે પચ્ચકખાણ ભાવરૂપ અને આચારરૂપ બંને રીતે છે. તેમાં અને આચારરૂપ પચ્ચકખાણનું ગ્રહણ છે. પચ્ચકખાણના પ્રકાર : પ્રકાર બે છે (૧) સમ્યકત્વના પચ્ચકખાણ અને (૨) વિરતિના પચ્ચખાણ, તેમાં સમ્યકત્વ પચ્ચકખાણના અવાંતર ભેદ નથી. વિરતિ અર્થાત્ ચારિત્ર પચ્ચકખાણના ત્રણ ભેદ છે. (૧) મૂળગુણ પચ્ચકખાણ (૨) ઉત્તરગુણ પચ્ચકખાણ અને (૩) ઉત્તરગુણ ઉત્તરગુણ પચ્ચકખાણ. મૂળગુણ પચ્ચકખાણ દેશથી અને સર્વથી એમ બે ભેદે છે. દેશથી દેશવિરતિને પાંચ અણુવ્રતો અને સર્વથી સર્વ વિરતિધરને પાંચ મહાવ્રતો. ઉત્તરગુણ પચ્ચખાણના પણ ર ભેદ છે. તેમાં દેશથી દેશવિરતિને ગુણવ્રતો અને શિક્ષાવ્રતો અને સર્વથી સર્વવિરતિને પિંડવિશુદ્ધિ વગેરે. ત્રીજું જે ઉત્તરગુણ ઉત્તરગુણ પચ્ચખાણ છે તેના દશ પ્રકાર છે. આને સર્વઉત્તરગુણ પચ્ચકખાણ પણ કહે છે. પચ્ચખાણ ભાષ્યમાં આ દશ સર્વઉત્તરગુણ પચ્ચખાણનું વર્ણન છે અને ૯ દ્વારોથી તેની વિચારણા કરેલ છે. ૪૮ ] * જ જમા પડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy