SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ REDERERERACASACA પચ્ચક્ખાણ ભાષ્ય પચ્ચક્ખાણ ભાષ્યમાં નમુકકારસહિયં આદિ ૧૦ પ્રકારના કાળ પચ્ચક્ખાણનો મુખ્ય વિષય છે. અને તે પ્રસંગે ચાર પ્રકારનો આહાર, બાવીસ પ્રકારના આગાર, ભક્ષ્ય-અભક્ષ્ય વિગઇઓ, ભક્ષ્ય વિગઇના નીવિયાતાં અને પચ્ચક્ખાણના પ્રકાર આદિ અનેક પ્રકારનું સ્વરૂપ દર્શાવ્યું છે. પચ્ચક્રણ એટલે શું ? પ્રતિ આખ્યાન તે પ્રત્યાખ્યાન. CASACASACRCRCRCRCR સામાના આત્માને ઉદેશીને પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપે પોતાના નિર્ણયની આપેક્ષિક જાહેરાત અર્થાત્ વ્યવહારથી બીજાને કથન તે પચ્ચક્ખાણ છે અને તે કથન પચ્ચક્ખાણના આલાવાના ઉચ્ચારપૂર્વક કરવાનું હોય છે. જેમકે મારે આજે દશ સામાયિક કરવા, પ્રભુપૂજા કરવી, સંઘ કાઢવો વગેરે અભિગ્રહો, શિક્ષાવ્રતના પચ્ચક્ખાણો તે પ્રવૃત્તિરૂપ છે. જ્યારે અણુવ્રત, ગુણવ્રત, મહાવ્રત, અહ્વા (કાલ) પચ્ચક્ખાણ વગેરે નિવૃત્તિરૂપ છે. પચ્ચક્ખાણ કરવાથી લાભ શું ? આ પચ્ચક્ખાણ કરવાથી જીવનું પ્રણિધાન થાય છે. અર્થાત્ ગમે તેવા વિપરીત સંયોગમાં પણ જીવ ચલાયમાન થતો નથી. અને એ પ્રણિધાન દ્વારા આત્મામાં એ કાર્ય અંગેનો ક્ષયોપશમ થાય છે. અને તેના પ્રભાવે જીવને બહુલતયા પચ્ચક્ખાણનો ભંગ કરવાનો વિકલ્પ જ આવતો નથી. અને ક્યારેક કોઇ નિકાચિત કર્મના ઉદયે ભંગ કરવાનો વિચાર આવે તો દેવ, ગુરુ, ધર્માત્માઓની સાક્ષીએ પચ્ચક્ખાણ કરેલું હોવાથી તેઓ અવશ્ય બચાવનારા બને છે. આમ વિધિપૂર્વક પચ્ચક્ખાણ લીધેલું હોવાથી કટોકટીની પળે બીજા દ્વારા પણ પાલન સહજ બને છે. જ્યારે વિધિપૂર્વક પચ્ચક્ખાણ ન કર્યું હોય અને માત્ર માનસિક સંકલ્પ Jain Education International ૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy