SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ RCRCRCRCRCRCRCRC -SAXACACACREPEATERSKEJ આ રજા લીધા પછી કાળક્ષેપ, વ્યાક્ષેપ,- વગર સીધો અવગ્રહમાં ‘નિસીહિ’ કહેતાં પ્રવેશ કરવો. પછી ઉભડક પગે બેસીને ગુરુચરણે બે હાથનો સ્પર્શ કરી તે હાથ મસ્તકે ચડાવવારૂપ વંદન કરવું. પછી મસ્તક ચરણે અડાડવું. પછી આ ચરણસ્પર્શમાં થયેલ પીડાની ક્ષમા માંગવી ખમણિજ્જો ભે કિલામો ! આટલું થયા પછી પૂછવું કે પ્રશ્ન-૩ : બહુ શુભપૂર્વક=સુખશાતાપૂર્વક તમારો દિવસ પસાર થયો? (આ રીતના પ્રશ્નમાં ભવિષ્યકાળની શાતા પૂછાતી નથી. કારણ કે પૂછનાર કે જેને પૂછાય છે તે બેમાંથી એકેય તે જાણતા નથી. વળી પૂછ્યા વગર તો આપત્તિ કે રોગથી પીડાતા હોય તો ખબર શું પડે ? પ્રતિકાર શી રીતે થાય ? માટે ભૂતકાલીન દિવસ, પક્ષ વગેરેની જ શાતા પૂછવી વ્યાજબી છે જેથી આરોગ્ય વગેરે જણાઇ આવે.) ઇચ્છકારમાં પણ ‘સ્વામી શાતા છે જી’? નો અર્થ આવો જ કરવો. ગુરુનો જવાબ ઃ તહત્તિ તથા ઇતિ તે પ્રમાણે વસ્તુતઃ ગુરુ સુખમાં આનંદિત તથા દુઃખમાં દીન નથી છતાં પૂછનારને સુખશાતા એ માટે જણાવવી કે ‘સુખશાતા છે’ તેવું જણાવવાથી તેને સંતોષ થાય. વિશેષ : (૧) ગુરુ ચરણે હાથ લગાડીને હાથ મસ્તકે લગાડવા અને ગુરુચરણે માથું અડાડવું એ વાતથી એ જણાય છે કે... (A) આપણું મસ્તક ગુરુના ચરણને સ્પર્શાવવાથી આપણે પવિત્ર થઇએ. (B) ગુરુના ગુણો આપણામાં આવે. (C) ગુરુ પ્રત્યે સમર્પણભાવ ન હોય તો ઉભો કરવાનો અને હોય તો વ્યક્ત કરવાનો આ માર્ગ છે. ઇતરો આશીર્વાદ શક્તિપાતથી માને છે. આપણે ભાવ પૂર્વકના દેવ-ગુરુચરણ સ્પર્શથી પણ શક્તિસંચાર માનીએ છીએ. વિશેષ : (૨) આ ચરણ સ્પર્શમાં પણ પીડાની સંભાવના કરી ક્ષમાપના કરી તે સુચવે છે કે.....દેવ ગુરુને આપણા કાયિક સ્પર્શ નિમિત્તે Jain Education International ૨૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy