SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ TERCRCRCRCR દ્વાર વીસમું गुरुवयन ક વંદન નિમિત્તે શિષ્યના ઉપરના ૧૯મા દ્વાર મુજબ ૬ પ્રશ્નો છે. આ દ્વારમાં તે તે પ્રશ્નના ગુરુએ આપવાના ઉત્તરની વાત છે. પ્રથમ પ્રશ્નમાં વંદન માટે રજા માગવાની વાત આવી. તેથી જણાય છે કે કોઇ પણ કાર્ય રજા વગર કરાય નહિ. પછી ‘પૂછી લઇશું’ એ રીતે કાળક્ષેપ પૂર્વક પણ કાર્ય ન કરાય. ‘ગુરુને અમુક વાત ન જણાવવી’ ‘નહિ જણાવીએ તો ચાલશે' વગેરેમાં ગુરુવિનયનો ભંગ છે. Tara શિષ્ય ગુરુને વંદન કરવાની પોતાની ઇચ્છા જણાવે ત્યારે ગુરુ જો ‘ડિત્તિ' (રાહ જો, ઉભો રહે) કહે, તો ત્યારે વંદન ન કરવું. ‘તિવિદેળ' (મન-વચન-કાયાથી) કહે, તો (અર્થાપત્તિથી-રૂઢિથી‘ટૂંકે પતાવ’) એવો અર્થ હોવાથી ‘મત્થએણ વંદામિ' કહી પૂરૂં કરે. ‘છંવેળ' (ઇચ્છા મુજબ ક૨) કહે, તો આગળ વંદન કરવા માટે અવગ્રહમાં જવા રજા મેળવવા માટે બીજો પ્રશ્ન કરે. શિષ્યનો બીજો પ્રશ્ન પોતાને મિત (પરિમિત) અવગ્રહની રજા આપવા માટે છે. અહીં અવગ્રહની એટલે અવગ્રહમાં પ્રવેશ કરવાની તેમજ વંદન પૂરતું રહેવાની એવો અર્થ કરવો. ‘મિત' શબ્દ અવગ્રહના વિશેષણ તરીકે છે. તેથી એનાથી અવગ્રહમાં મર્યાદાપૂર્વક પરિમિત ક્ષેત્રમાં, પરિમિત કાળ માટે રહેવું એ ત્રણ વાતનું સૂચન થાય છે. અવગ્રહમાં વંદન માટે પણ પેસવાની રજા માંગવાની છે. તેનાથી બે વાતનું સૂચન જાણવું. (૧) મહત્ત્વના કાર્યો સિવાય અવગ્રહમાં પેસાય નહિ અને (૨) કાળક્ષેપ સહન ન કરી શકાય એવા કાર્યો સિવાયના ગમે તેવા કાર્ય માટે રજા લીધા વગર અવગ્રહમાં ન પેસાય. બીજા પ્રશ્ન અંગે ગુરુનો ઉત્તર : મનુનામિ (અવગ્રહમાં પેસવાની રજા આપુ છું.) Jain Education International ૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy