SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ GALATALARCALACACACACA C ACACACACACACACACARA હૈ પણ પીડા થવી ન જોઈએ. આપણી કોઇપણ પ્રવૃત્તિ નિમિત્તે એમના હૈ હૃમન-વચન-કાયાને પીડા ન થાય તે ધ્યાન રાખવું. આ વાત પ્રધાનતયાણું હું આચાર્ય માટે છે. પરંતુ સાધકે (સાધુએ) પોતાના નિમિત્તે કોઇપણ સાધક હૈ સાધુને આ રીતે પીડા ન થાય તેની કાળજી રાખવી. સર્વ જીવો માટેનું હૈ પીડા વર્ષ જ છે. સાધુઓને પીડા વિશેષથી વર્ષ છે. $ આ ‘તહત્તિ' શબ્દના બદલે “સ્વામિ ! શાતા છે જી?” ના જવાબમાં મહાપુરુષોએ દેવ-ગુરુપસાય’ શબ્દો મૂક્યા કારણ કે- (૧)લોકવ્યવહારમાં ‘તહત્તિ” શબ્દ ગુર્વાજ્ઞા સ્વીકાર જણાવવા માટે વપરાય છે. (૨) જવાબ આપનાર અને સાંભળનારના હૃદયમાં દેવગુરુની મહત્તા વધે તે આ રીતે.... (A) જો સુખમાં કાળ ગયો હોય તો ધર્મ આરાધનાની વૃદ્ધિ થઈ એ દેવ ગુરુનો પ્રતાપ છે. (B) જે અનુકૂળતાઓ મળી તે પુણ્યના પ્રતાપે મળી અને તે પુણ્ય દેવગુરુની કૃપાથી ઉપાર્જિત થયું છે. (C) તે પુણ્યના ઉદયકાળમાં ધર્મભાવના ટકી રહી, વૃદ્ધિ પામી તેમાં પણ દેવ-ગુરુની કૃપા કારણ છે. (D) જો દુઃખ કે પ્રતિકૂળતા આવ્યાં તો પણ તે ધર્યથી સહન કરી | કર્મનાશ થયો. દુઃખમાં ધર્ય રહેવું એ દેવ-ગુરુનો પ્રભાવ છે. | (E) દુઃખ આવવા છતાં એ અનુબંધરૂપે ન થયું અને સમતાથી સહન થયું. સમતા ઉત્તરકાલીન પુણ્ય, સુખ અને ધર્મનો અનુબંધ (પરંપરા) ઊભો કરવામાં પ્રબળ નિમિત્તભૂત છે. આ સમતા કેળવાવનારા દેવ-ગુરુ છે. આમ “દેવ-ગુરુ પસાય” એ વાત સુખ-દુઃખમાં કાયમ ઊભી રહે છે. માટે મહાપુરુષોએ એ વાતને મુખ્ય કરી. ચોથો પ્રશ્ન : બાહ્ય સુખશાતા પૂછી. હવે યાત્રાની નિરાબાધતા પૂછવી. તમારી (સંયમ) યાત્રા નિરાબાધ વર્તે છે? આ પૂછવામાં તાત્પર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy