SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ACREDERERER -Arvresearc વંદન કરવું. નાના પાસે કરવી હોય તો સ્થાપનાજીને વંદન કરવું અને તેમને વંદન રૂપે ‘મર્ત્યએણ વંદામિ' કહેવું. (૭) સંવર : પચ્ચક્ખાણ વંદન પૂર્વક લેવું. માટે પ્રતિક્રમણમાં છેલ્લે મુહપત્તિ પછી બે વાંદણા છે. (૮) અણસણ : સંલેખનારૂપ ઉત્તમાર્થ (અણસણ–સંથારો) અંગીકાર કરવા માટે પ્રથમ ગુરુવંદન તે ઉત્તમાર્થ માટેનું જાણવું. આ વાતો ઉપલક્ષણભૂત છે તેથી કોઇપણ વિશેષ વાત પૂછવી કે કહેવી હોય તે બધીનો આલોચનામાં અંતર્ભાવ કરી વંદન કરીને કરવી. સ્વાધ્યાય સંબંધી પૂછવું હોય તો તે વંદન સ્વાધ્યાયના ભેદમાં આવે. બીજા કોઇ કારણથી થતાં વંદન આમાં સમાવવા અથવા ઉપલક્ષણથી વધારે ભેદો સમજવા. દ્વાર દસમું વાંદણાના ૨૫ આવશ્યક. વાંદણા સૂત્ર બોલતી વખતે અવશ્ય કરવા યોગ્ય ક્રિયાઓ એ આવશ્યક.... ૨ અવનત, ૧ યથાજાતમુદ્રા, ૧૨ આવર્ત, ૪ શીર્ષનમન, ૩ ગુપ્તિ, ૨ પ્રવેશ, ૧નિર્ગમન = ૨૫ આવશ્યક. (ક) ૨ અવનત : અણુજાણહ મે મિઉગ્ગહં.... બોલતી વખતે અવગ્રહમાં પેસવાની અનુજ્ઞા માગવાની હોઇ મસ્તક સહિત શરીરને કેડમાંથી કંઇક નમાવવું તે અવનત કહેવાય. ‘ઇચ્છામિ ખમાસમણો’ ઇત્યાદિ પદ બોલતી વખતે મસ્તક નમાવવાનું હોય છે તે, વાંદણામાં બે વાર નમાવવાનું હોવાથી બે અવનત થાય. (ખ) યથાજાત મુદ્રા : દીક્ષા વખતે રજોહરણ-ચોલપટ્ટો-મુહપત્તિ આ ત્રણ ઉપકરણો હોય..... જન્મ વખતે હાથ કપાળે લાગેલા હોય. તેથી આ ત્રણ ઉપકરણો રાખવા અને હાથ કપાળે અંજલિબદ્ધ અડાડવા તે યથાજાત મુદ્રા કહેવાય. આવો આકાર રાખીને ગુરુવંદન કરવું. બન્ને વાંદણામાં આ એક અખંડ એકસરખું ગણ્યું હોવાથી એક આવશ્યક. Jain Education International ૨૫ આવશ્યક ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy