SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ CACRCRCRCRCRCR બાહ્ય વૃત્તિથી શાંત હોય તે શાંત કહેવાય. આંતરિક વૃત્તિથી શાંત હોય તે પ્રશાંત કહેવાય. ઉભય વૃત્તિથી શાંત હોય તે ઉપશાંત કહેવાય. રજા વગર સામાન્ય રીતે કોઇ કામ થાય નહિ, તો વંદન તો ન જ થાય, માટે રજા લઇને વંદન કરવું. દ્વાર નવમું -CACRCRCRCRCRCRCs વંદનનાં કારણ વંદન ક્યારે ક્યારે કરવું ? પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, અપરાધ ખમાવવા, પાપૂર્ણક, આલોચના, સંવર (પચ્ચક્ખાણ), ઉત્તમાર્થ સંલેખના આ અવસરે વંદન કરવાનું હોય છે. (૧) પ્રતિક્રમણમાં વંદન (વાંદણા) આવે તે. (૨) સ્વાધ્યાય કરવા પૂર્વે સજ્ઝાય પ્રસ્થાપનમાં વાંદણા આવે તે સ્વાધ્યાય માટેનું વંદન. (૩) કાયોત્સર્ગ : અબ્યુટ્ઠિઆ પછી કાઉસ્સગ્ગ પૂર્વે વાંદણા આવે તે અથવા યોગવહન વખતે આયંબિલ છોડી નીવિનું પચ્ચક્ખાણ કરવા માટેના કાઉસ્સગ્ગ માટે રજા માંગવા પહેલાં વંદન કરવું. એમ નંદી સૂત્ર સાંભળવા અંગેના કાઉસ્સગ્ગની રજા માંગવા પહેલાં વાંદણા આપવા તે, આજ રીતે બીજા કાઉસ્સગ્ગો માટે પણ રજા માંગવા પહેલાં વાંદણા દઇ પછી કાઉસ્સગ્ગ કરવો. (૪) અપરાધ ક્ષમાપન : અબ્યુટ્ઠિઆ પૂર્વે વાંદણા આપવાના હોય છે તે. બીજા સાધુઓમાં પણ મોટાને વંદન કરીને અપરાધ ક્ષમાપના કરવી અને નાનાને હાથ જોડી ફેટાવંદનથી અપરાધની ક્ષમાપના કરવી. (૫) પ્રાથૂર્ણક : નવા સાધુ આવે તો પહેલાં આચાર્ય કે રતાધિકને વંદન કરી તેમને પૂછીને નવા આવેલ પ્રાથૂર્ણકને વંદન કરવું. આવનાર નાના હોય તો રહેલા મોટાને કરે. (૬) આલોચના ઃ જેની પાસે આલોચના કરવી હોય તેમને પૂર્વે Jain Education International ૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy