SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ KUT SACRCRCRCRCRCRCRCR (૨) પરાર્મુખ : વંદનીય મહાત્મા બીજી બાજુ મુખ કરીને બેઠા હોય અથવા વંદન સિવાયની બીજી કોઇ ઇચ્છાવાળા એટલે બીજા કાર્યની પ્રવૃત્તિવાળા હોઇ વંદન સ્વીકારવાની માનસિક વગેરે તૈયારીવાળા ન હોય ત્યારે વંદન ન કરવું. (૩) પ્રમત્ત : વંદન લેનારા નિદ્રામાં, કષાય-આવેશમાં, અપ્રશાંતતામાં, મમત્વમાં વર્તતા હોય ત્યારે વંદન ન કરવું. (૪, ૫) આહાર-નિહાર : વંદન લેનારા આહાર-નિહાર કરતા હોય કે કરવાની તૈયારીવાળા હોય ત્યારે વંદન કરવું નહીં. આવા વખતે વંદન કરવાથી આહાર-નિહાર-નિદ્રામાં અંતરાય, અપ્રશાંતતાવૃદ્ધિ, કાર્યવિક્ષેપ કે કાર્યનાશ, અપ્રીતિ કે અવિનય વગેરે દોષો થાય છે માટે આવી પરિસ્થિતિમાં વંદન કરવું નહીં. દ્વાર આવ્યું અનિષેધસ્થાન વંદનનો અવસર, વંદન ક્યારે કરવું?... વંદનીય પ્રશાન્ત, આસનસ્થ, ઉપશાન્ત અને ઉપસ્થિત હોય ત્યારે અનુજ્ઞા લઇને વંદન કરવું. 4પ્રશાન્ત હોવા જોઇએ એવું જે આમાં કહ્યું છે તેનાથી જણાય છે કે વ્યાક્ષિપ્ત-પરાભુખ નથી. કારણ કે વ્યાક્ષેપરહિતતા અને પ્રશાંતતા વચ્ચે હેતુહેતુમદ્ભાવ હોવાથી પ્રશાન્તતા તો જ આવે જો વ્યાક્ષેપરહિતતા હોય. આમ ઉપશાન્તાદિ અંગે પણ જાણવું. ઉપશાન્ત છે માટે પ્રમત્ત નથી. આસનસ્થ છે એટલે આહારનિહાર રહિત છે અને ઉપસ્થિત છે એટલે વંદન સ્વીકારવાની-જવાબ આપવાની તૈયારી છે. એટલે કે આહાર-નિહારની ઇચ્છારહિત છે. આટલી સ્વસ્થ અવસ્થામાં પણ રજા લઇને વંદન કરવું. આસનસ્થ જોઇએ એટલે કે ઉભા હોય-ચાલતા હોયખાતા-પીતા હોય કે કોઇ વિશિષ્ટ કામ કરતા હોય ત્યારે વંદન ન કરવું. ઉપસ્થિત હોવા જોઇએ એવું જે કહ્યું તેનાથી જણાય છે કે વંદન કરનારને માટે, ગુણીને વંદન કરવાની જેમ વિધિ છે તેમ વંદન લેનારને પણ તેની આ વિધિ અને ફરજ છે કે અતિ મહત્ત્વનું કાર્ય કે વિશેષ વિક્ષેપ ન હોય ત્યારે સુખશાતા-ધર્મલાભ વગેરે જવાબ આપવો. Jain Education International ૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy