SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૧) ઇન્ટ્રાસેરેબ્રલ હૅમરેજ : બ્લડપ્રેશરને લીધે મગજની અંદર આવેલી કેટલીક નળી ફાટવાથી આ હૅમરેજ થતું હોય છે. મોટે ભાગે આ હૅમરેજ મગજની કેટલીક ચોક્કસ જગ્યાએ (જેમ કે પુટામેન, થેલેમસ, સેરિબેલમ) ચોક્કસ રીતે થતું જોવા મળે છે અને પેશન્ટને તપાસતાં જ ફિઝિશિયનને ખ્યાલ આવી જાય છે કે હૅમરેજ મગજના કયા ભાગમાં થયું હશે. ૭૪ એમાયલૉઇડ ઍન્જિઓપથી એ મોટે ભાગે વયસ્ક લોકોમાં થતી મોટા મગજની અંદરની હૅમરેજની બીમારી છે જે ક્વચિત્ ફરીફરીને પણ થઈ શકે. આ બધા હૅમરેજનું તાત્કાલિક નિદાન કરી 1.C.U.માં સારવાર શરૂ કરવામાં આવે - ખાસ કરીને બી.પી.ને કાબૂમાં લઈ મગજના સોજાની યોગ્ય સારવાર સમયસર મળી જાય તો હૅમરેજના કેસોમાં મૃત્યુનું પ્રમાણ ચોક્કસપણે ઘટાડી શકાય, જે હાલમાં આશરે ૫૦થી ૬૦% જેટલું ઊંચું છે. થોડા કેસોમાં, જેમ કે નાના મગજમાં થતું હૅમરેજ (સેરેબેલર હૅમરેજ) અથવા મોટા મગજના ટેમ્પોરલ લૉબ અથવા પુટામેનમાં થતા હૅમરેજના અમુક દર્દીઓમાં યોગ્ય સમયે ન્યુરૉસર્જન પાસે સર્જરી કરાવવાથી પણ જિંદગી બચાવી શકાય. પણ આ બધા માટે જરૂરી છે રોગ પ્રત્યેની જાગૃતિ, તાત્કાલિક નિદાન, યુદ્ધના ધોરણે સારવાર અને નિષ્ણાત તથા ત્વરિત નિર્ણય લઈ શકે તેવા ફિઝિશિયન અને ન્યુરૉસર્જન તેમ જ બધી સુવિધાઓ (વૅન્ટિલેટર મશીન, ઑપરેશન થિયેટર વગેરે) પૂરી પાડી શકે તેવી સારી હૉસ્પિટલોની. ચિહ્નો : કામ કરતાં અચાનક જોરથી માથું દુઃખવું, ઊલટી થવી, ચક્કર આવવાં, આંખે અંધારાં આવવાં (આ બધાં હાઈ બ્લડપ્રેશરનાં લક્ષણ હોઈ શકે). દર્દીને ખેંચ પણ આવી શકે, લડથડિયાં આવે, લકવો થાય, મિનિટોમાં દર્દી બેહોશ થવા માંડે અને શ્વાસ ઝડપથી ચાલવા માંડે . સામાન્ય રીતે આ બધાં ચિહ્નો બ્રેઇન હૅમરેજનાં હોય છે. 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy