SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મગજમાં રક્તસ્રાવ-બ્રેઇન હેમરેજ મગજની નળીઓમાં થતી વિકૃતિને કારણે થતા પૅરૅલિસિસ-પક્ષાઘાતના કેસોમાં આશરે ૨૦% બ્રેઇન હૅમરેજ (મગજના રક્તસ્રાવ)ના કેસો હોય છે. બાકીના થ્રૉમ્બોએમ્બોલિઝમથી થતા હોય છે. S મગજના અતિ ગંભીર રોગ તરીકે જાણીતા એવા આ રોગમાં, સામાન્ય ભાષામાં કહીએ તો લોહીની નળી ફાટવાથી અથવા એવા કોઈ કારણથી મગજમાં લોહીનું ખાબોચિયું ભરાય છે અને આમાંના ઘણા દર્દીઓ મિનિટોમાં બેહોશ થઈ જાય છે અને સમયસર સારવાર ન મળે તો કેટલાક મૃત્યુ પણ પામે છે. બ્રેઇન હૅમરેજને બે ભાગમાં વહેંચી શકાય : (૧) ઇન્ટ્રાસેરેબ્રલ હૅમરેજ : મુખ્યત્વે બ્લડપ્રેશર વધી જવાથી પણ જવલ્લે એમાયલૉઇડ નામનું દ્રવ્ય નળીઓમાં જમા થવાથી (એમાયલૉઇડ ઍન્જિઓપથી)થી મગજમાં જે હૅમરેજ થાય તે. (૨) સબઍરેકનૉઈડ હૅમરેજ : લોહીની નળી પર અકુદરતી રીતે ફુગ્ગો (સેક્યુલર એન્યુરિઝમ) બની જઈ તેના ફાટવાથી અથવા મગજની લોહીની નળીઓનું વિચિત્ર ગૂંચળું (એ-વી માલફૉર્મેશન) ફાટવાથી થતું હૅમરેજ બ્રેઈન હેમરેજ એ સિવાય ઍન્ટિકોએગ્યુલન્ટ નામના – લોહી પાતળું કરવા વપરાતા – ઔષધોની આડઅસરથી, માથાની ઈજાથી, લોહીના પાતળા પડી જવાની બીમારીથી, મગજની કૅન્સરની ગાંઠ ફાટવાથી લોહી જમા થવાથી, મગજમાં ચેપ લાગવાથી – એમ કેટલાંય અન્ય કારણોસર પણ બ્રેઇન હૅમરેજ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy