SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ લકવો (પેરેલિસિસ) - stroke કેમ વાસ્તવિક રીતે જયારે આ દવાઓ દર્દીઓને આપવામાં આવે છે ત્યારે ધાર્યો સુધારો કરી શકતી નથી. તેનાં કેટલાંક વૈજ્ઞાનિક કારણો પણ છે. તેથી તેમાં સુધારો કરી નવી દવાઓ વિકસાવાઈ રહી છે, જે તરત જ આપવામાં આવે તો કોષોને લોહી તથા ઑક્સિજનની ખામી હોવા છતાં પણ બચાવી શકાય અથવા લાંબા સમય સુધી જીવિત રાખી શકાય. આજકાલ સીટીકોલીન અને ઈડરાવો (એરેવોન) નામની દવાઓ વધુ વપરાશમાં છે. (૪) કૉમ્પ્લિકેશન્સ (આડઅસરો): લકવાના હુમલા દરમિયાન કેટલાક દર્દીઓને અમુક કૉમ્પ્લિકેશન્સ થતા હોય છે જે રોગની ગંભીરતા વધારી મૂકે છે, જેમ કે મગજમાં સોજો આવવો, બેભાન થવું, ખેંચ આવવી, તાવ આવવો, ભાઠાં પડવાં, ન્યુમોનિયા થવો, શરીરમાં પાણી વધી કે ઘટી જવું, પેટ ફૂલી જવું, પેશાબ બંધ થઈ જવો, શરીરમાં સોડિયમ, પોટેશિયમની માત્રામાં વધઘટ થવી વગેરે. સારવાર કરનાર ફિઝિશિયને રોજેરોજ ઝીણવટથી કેસ જોઈ, દરરોજ આ બધાં પાસાંઓ પરત્વે લક્ષ્ય આપવું જોઈએ જેથી સારવારનું પરિણામ સારું આવે, દર્દી જીવે અને જલદીથી સુધારો થાય. જ્યારે દર્દીને શ્વાસમાં તકલીફ થાય અથવા મગજનો સોજો ખૂબ વધી જઈ દર્દી કોમામાં જતો રહે ત્યારે તેને વેન્ટિલેટર પર મૂકી જિંદગી બચાવવાની કોશિશ કરી શકાય. (૫) ન્યુરોસર્જરી લકવાના કેટલાક કેસોમાં (આશરે ૪થી ૫ ટકા) ન્યુરોસર્જનની જરૂર પડતી હોય છે જે ઇમરજન્સી ઓપરેશન દ્વારા દર્દીની જિંદગી બચાવી શકે અથવા મગજના કોષોનું નુકસાન ઓછું કરી શકે. આમાં ક્રેનીઍકટમી, કેની એકટમી વ્રાપ્લાસ્ટી, ઈમરજન્સી કેરોટિડ બાયપાસ અથવા ઍમ્બોલેકટમી વગેરે ઑપરેશનો હોય છે. હેમરેજના કારણે થતા લકવામાં ક્યારેક ખોપરી ખોલી લોહીનો ગટ્ટો ખેંચી લેવામાં આવે છે (જો દવાઓથી કેસ ન સુધરે અને હેમરેજ ખેંચી શકાય તેવું હોય તો). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy