SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો આશરે ૧૦થી ૧૫ ટકા દર્દીઓને સ્ટ્રોક-ઇન-ઇવોલ્યુશન નામની વિશિષ્ટ પરિસ્થિતિ હોય છે. વિશિષ્ટ એટલા માટે કે ચિહ્નો શરૂ થયાનાં રથી ૪ દિવસ સુધી દવાઓ કરવા છતાં લકવો પણ ક્રમશઃ વધતો જાય અને અંતે આખું અંગ રહી જાય. તેમ થવાનું કારણ એ છે કે આખી નળી ધીમે ધીમે અવરુદ્ધ થઈ રહી હોય છે અને એન્ટિથ્રોમ્બોટિક કે એન્ટિપ્લેટલેટ દવાઓ રોગની માત્રા સામે પૂરતું કવચ પૂરું પાડી શકતી નથી. દવાઓ આપવા છતાં લકવો વધે તે પરિસ્થિતિ દર્દી-ડૉક્ટર વચ્ચે ગેરસમજ ઊભી કરી શકે. જો લકવો વધતો જાય તો, હવે હેમરેજ તો નથી થયું ને તે ફરીથી સી.ટી. સ્કેન દ્વારા જાણી લેવું જોઈએ. વિશેષમાં, થ્રોમ્બોસિસના કેસોમાં શરૂઆતના થોડા દિવસો સુધી અમુક માત્રામાં બ્લડપ્રેશર ટકાવી રાખવું જોઈએ; એકદમ ઝડપથી ઉતારી દેવું જોઈએ નહીં. B.R. એકદમ ઘટાડી દેવાથી મગજને લોહી ઓછું મળવાથી લકવો વધી શકે છે. ઉપરનું (સિસ્ટૉલિક) બી.પી. આશરે ૨૦૦ અને નીચેનું (ડાયાસ્ટૉલિક) આશરે ૧૧૦ હોય ત્યાં સુધી બ્લડપ્રેશરની કોઈ દવા (થ્રોમ્બોસિસના કેસોમાં લકવો થયાના શરૂઆતના ૭ દિવસોમાં) ન્યુરોલોજિસ્ટ ડૉક્ટરો આપતા નથી (સિવાય કે તાજો હાર્ટએટેક કે એન્જાઈના Dય અથવા કોઈ વિશિષ્ટ કારણ જણાતું હોય). (૩) ન્યુરૉપ્રોટેક્ટિવ દવાઓ: લકવાના કેસમાં સૈદ્ધાંતિક રીતે કોષોનો નાશ (લોહી તથા બૉક્સિજનની ઊણપને લીધે) થતો અટકાવવા એવાં તત્ત્વો-જૈવિક રસાયણો પકવો થવાનાં પ્રથમ ૬થી ૨૪ કલાક આપવા જોઈએ કે જે કોષોને લાંબા સમય સુધી પોષણ પૂરું પાડે અથવા ઑક્સિજન પહોંચાડે અથવા ચયાપચયની સમસ્યા દૂર કરે કે કોષોના આવરણને સંરક્ષિત કરી, કોષોને તૂટતા અટકાવે. આવી આશરે ૩૦થી ૪૦ જાતની દવાઓ (નીમોડીપીન, એડેવેરોન, સીટીકોલીન, પીરાસીટામ, એમકે-૮૦૧, એરવેઝેલ) પ્રયોગાત્મક પરીક્ષણમાંથી સફળતાથી પસાર થઈ ચૂકી છે પરંતુ કોણ જાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy